આખરે જેની રાહ જોવાતી હતી એ ઘડી આવી ગઈ. 'દ કશ્મીર ફાઈલ્સ'નું ટ્રેલર સૌની સામે આવી ગયું છે. કશ્મીરી પંડિતોના દુ:ખ દર્દને વાચા આપતી આ ફિલ્મનું ટ્રેલર જોઈને લોકોના રૂવાંડા ઊભા થઈ જશે.
કશ્મીરી પંડિતોની દુ:ખની દર્દભરી દાસ્તાન
ટ્રેલર જોઈ લોકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી
આ તારીખે રિલીઝ થશે ફિલ્મ
આખરે જેની રાહ જોવાતી હતી એ ઘડી આવી ગઈ. 'દ કશ્મીર ફાઈલ્સ'નું ટ્રેલર સૌની સામે આવી ગયું છે. કશ્મીરી પંડિતોના દુ:ખ દર્દને વાચા આપતી આ ફિલ્મનું ટ્રેલર જોઈને લોકોના રૂવાંડા ઊભા થઈ જશે અને આ જ કારણ છે કે ટ્રેલર રિલીઝ થતાં જ તેને સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે હલચલ ઉભી કરી દીધી છે. દ તાશકંદ ફાઈલ્સ બાદ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દર્શકોની વચ્ચે 'દ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારથી આ ફિલ્મ બનવાની વાત સામે આવી હતી.
આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, પુનીત ઈસ્સર, પ્રકાશ બેલાવડી, દર્શન કુમાર, ભાષા સુંબલી, ચિન્મય મંડલેકર, મૃણાલ કુલકર્ણી, અતુલ શ્રીવાસ્તવ અને પૃથ્વીરાજ સરનાઈક જેવા મોટા મોટા કલાકારો છે. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, કેવી રીતે પંડિતો સાથે કાશ્મીરમાં યાતનાઓ થઈ અને તેઓ પોંતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા.
ટ્રેલરે ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધારી
ફિલ્મના ટ્રેલરનો દરેક સીન દિલ દિમાગ પર દસ્તક આપે છે અને આ દર્દ વિશે વિચારવા માટે મજબૂર કરી દે છએ. કુલ મળીને આ ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતાને વધારી દે છે. હવે ફિલ્મ કેટલાય લોકોને પ્રભાવિક કરી શકે છે, તેના વિશે 11 માર્ચે જ ખબર પજશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.
ચોતરફ તણાવની સ્થિતી, સૌ કોઈને જોઈએ છે ન્યાય
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં કશ્મીરમાં કર્ફ્યૂની સ્થિતી બતાવામા આવી છે. તેમાં અમુક લોકો કશ્મીરી પંડિતોને ખૂબ હેરાન પરેશાન કરતા દેખાય છે. કશ્મીરી પંડિતો ખુદને લાચાર અનુભવી રહ્યા છે, ચારે તરફ તણાવપૂર્ણ માહોલ છે અને સૌ કોઈ ન્યાયની રાહ જોઈ રહ્યા છે, પણ તેમને તો ઘર છોડવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. જો તેઓ આવું નથી કરતા તો તેમને જીવ ગુમાવાનો વારો આવે.અને આ ડરના કારણે તેઓ ઘર છોડવા માટે મજબૂર બન્યા.
કશ્મીર નરસંહારની કહાની
આ ફિલ્મ વિશે વિવેક અગ્નિહોત્રી જણાવે છે કે, કશ્મીર નરસંહારની કહાની મોટા પડદાં પર લાવવાનું સરળ કામ નહોતું. તેને મોટી સંવેદના સાથે સંભાળવાનું હતું. જે પરખાયેલા કલાકારોના કારણે જ સંભવ બની શક્યું. જેને લઈને આજે દર્શક ઈતિહાસની દોજખ ભરેલી હકીકતથી વાકેફ થઈ શકશે.