બોલિવૂડ ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સની ચર્ચા હાલમાં ચારેતરફ જોવા મળી રહી છે. લોકોએ આ ફિલ્મને લઈને પોઝિટિવ રિસ્પોન્સ તો આપ્યો છે, જો કે, એક સવાલ એવો પણ કરી રહ્યા છે આ ફિલ્મથી કશ્મીરી પંડિતોને શું મળશે ?
બોલિવૂડની ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સની ચારેબાજૂ ચર્ચા
ફિલ્મે 10 દિવસમાં કરી છે શાનદાર કમાણી
આ ફિલ્મની કમાણીમાંથી કશ્મીરી પંડિતોને શું મળશે ?
બોલિવૂડ ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સની ચર્ચા હાલમાં ચારેતરફ જોવા મળી રહી છે. ફિલ્મને જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટરમાં પહોંચી રહ્યા છે. ફિલ્મની કમાણીનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે, તેને લઈને દેશભરના લોકોની લાગણી તેની સાથે જોડાયેલી છે. જે પણ આ મૂવીને જોઈ રહ્યા છે, તે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મને સારુ એવુ વર્ડ ઓફ માઉથ મળી રહ્યું છે. પણ તેને પેરેલલમાં જો જોવામાં આવે તો, ફિલ્મ ટીકા પણ ખૂબ થઈ રહી છે. હવે ફિલ્મના ડાયરેક્ટ વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મનો બચાવ કર્યો છે અને તેને એકદમ તથ્યોના આધારે બનાવી હોવાનો દાવો કર્યો છે.
ફિલ્મ સમગ્રપણે ફેક્ચુઅલ
એક્ટરે કહ્યું કે, અમુક ગ્રુપ્સ એવા છે, જે કાશ્મીરને બિઝનેસનું માધ્યમ બનાવા માગે છએ. અમારી ફિલ્મ આવી વસ્તુઓને ખતમ કરવાનું કામ કરે છએ. તો જે લોકોને હવે બેનિફિટ નથી મળી રહ્યો તે, આ ફિલ્મને કંટ્રોવર્સીના કિચડમાં ઢસડી જવાની કોશિશ કરી રહ્યા છે. પણ મારુ એવુ માનવું છે કે, ક્યારેય પણ ટેરરિઝ્મ પર કોઈ કંટ્રોવર્સી નથી થતી. અમે ફિલ્મ દ્વારા એ બતાવાની કોશિશ કરી છે કે, દ્યારે કોઈ કમ્યુનિટીમાં આતંકવાદ ઘુસી જાય છએ, અને તે સમાજના કોઈ પણ વર્ગ અથવા ભાગને વૈચારિક સંયોગ મળવા લાગે છે, તો પછી હાલત વિધ્વંશ તરફ આગળ વધવા લાગે છે. અમારી મૂવી એકદમ તથ્યો પર આધારિત છે.
આપને જણાવી દઈએ કે, વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ યુપીના ફિલ્મની કાસ્ટની સાથે સીએમ યોગી આદિત્યનાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પલ્લવી જોશી અને અનુપમ ખેરે પણ ત્યાં હાજર રહ્યા હતા. જ્યારે વિવેકને પુછવામા આવ્યું કે, શું આ ફિલ્મથી જે પ્રોફિટ થશે, તેનાથી કશ્મીરી પંડિતોને કોઈ મદદ મળશે. આ સવાલના જવાબમાં વિવેકે કહ્યું કે, હજૂ ફિલ્મને કમાણી કરવા દો. યુપીમાં ફિલ્મ પહેલાથી જ ટેક્સ ફ્રી થઈ ગઈ છે. આ ઉપરાંત આ ફિલ્મ ગુજરાત, હરિયાણા અને ગોવા સહિત અન્ય રાજ્યોમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે.
10 દિવસમાં ફિલ્મે કરી શાનદાર કમાણી
ફિલ્મની કમાણીની વાત કરીએ તો, મૂવી તાબડતોડ કમાણી કરી રહી છે. દશ દિવસમાં ફિલ્મ 167 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મના બજેટના હિસાબે જોવામાં આવે તો, ફિલ્મ ખૂબ જ આગળ નિકળી ગઈ છે. તેને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ક્યારે ઓટીટી પર આવશે, તેની જાણકારી હજૂ સામે આવી નથી. ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશીને શાનદાર એક્ટિંગ કરી છે.