ધ કશ્મીર ફાઈલ્સને પ્રોપાગાંડા ફિલ્મ બોલવા પર ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડક્યા, તેમણે કહ્યું ફિલ્મ માત્ર આતંકવાદ વિરુદ્ધ જ વાત કરે છે.
ધ કશ્મીર ફાઈલ્સને કહેવામાં આવી પ્રોપાગાંડા ફિલ્મ
વિવેક અગ્નિહોત્રીએ વિદેશી મીડિયા પર સાધ્યો નિશાનો
કહ્યું ફિલ્મ માત્ર આતંકવાદ વિરુદ્ધ વાત કરે છે
ધ કશ્મીર ફાઈલ્સને કહેવામાં આવી પ્રોપાગાંડા ફિલ્મ
32 વર્ષ પહેલા કશ્મીરી પંડિતોનાં નરસંહાર દરમિયાન, જે તેમના પર અત્યાચારો કરવામાં આવ્યા, તે રિયલ સ્ટોરી પર બનાવવામાં આવી છે ધ કશ્મીર ફાઈલ્સ. નરસંહાર દરમિયાન પંડિતોનાં દુઃખ, પીડા, સંઘર્ષ અને આઘાતની હૃદય કંપાવી દે એવી સ્ટોરી છે, ધ કશ્મીર ફાઈલ્સ. ક્યારેય ન જણાવાયું હોય, તેવું સત્ય છે, ધ કશ્મીર ફાઈલ્સ.
ગુસ્વિસામાં વિવેક અગ્નિહોત્રી
આવામાં જ્યારે આ ફિલ્મને પ્રોપાગાંડાનું નામ આપવામાં આવે, ત્યારે મેકર્સ અને ડાયરેક્ટર્સને તો ગુસ્સો આવશે જ. આ જ કારણ છે કે વિવેક અગ્નિહોત્રીએ આના પર ખુલીને વાત કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરસ દરમિયાન ફિલ્મનાં નિર્દેશકે કહ્યું કે ચિંતા વાસ્તવમાં આતંકવાદ છે. ફિલ્મમાં મુસ્લિમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં પાકિસ્તાન કે પાકિસ્તાની શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં માત્ર આતંકવાદ વિરુદ્ધ વાત કરવામાં આવી છે. આવામાં આ ફિલ્મને ટેરરફોબિક કેમ ન કહેવામાં આવી?
વિવેક અગ્નિહોત્રી આગળ કહે છે કે ધ કશ્મીર ફાઈલ્સ પહેલા 'ફીઝા', 'ફના', 'મિશન કશ્મીર' વગેરે જેવી ફિલ્મો પણ કશ્મીર પર આધારિત હતી, પરંતુ તેમને ક્યારેય પ્રોપાગાંડાનું નામ આપવામાં આવ્યું નથી. આનો અર્થ છે કે જો તમે આતંવાદને સાચા સાબિત કરો છો, તો તમે માનવતાનાં રક્ષક છો, પરંતુ તમે આતંકવાદ વિરુદ્ધ વાત કરો છો, તો તમે પ્રોપાગાંડા ફેલાવો છો.
કહ્યું ફિલ્મ માત્ર આતંકવાદ વિરુદ્ધ વાત કરે છે
ડાયરેક્ટર આગળ કહે છે કે કશ્મીર ફાઈલ્સ પહેલા કશ્મીર પર બનેલી બધી ફિલ્મ મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં ઘણા મોટા સ્ટાર્સ પણ સામેલ હતા. આ બધી ફિલ્મોને 1990નાં દશકમાં સેટ કરવામાં આવી હતી. એક પણ ફિલ્મમાં કશ્મીરી હિંદુઓ વિષે કંઈ પણ નથી કહેવામાં આવ્યું, નરસંહાર તો ભૂલી જ જાઓ.
તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મનું પહેલું દ્રશ્ય હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો જ દર્શાવે છે. આ દ્રશ્યમાં એક હિંદુ છોકરા શિવને લોકો મારી રહ્યા હોય છે અને અબ્દુલ આવીને તેને બચાવે છે. જ્યારે બીજા દ્રશ્યમાં પુષ્કર નાથે અબ્દુલનો જીવ બચાવ્યો. આ ફિલ્મ દેશમાં કોઈ પ્રોપાગાંડા ફેલાવતી નથી પરંતુ આતંકવાદ વિરુદ્ધ વાત કરે છે.