લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ અંગે ફિલ્મ બનાવી ચૂકેલ દિગ્દર્શક Vivek Agnihotri ની નવી ફિલ્મ The Kashmir Files ને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર બની છે.
ધ કશ્મીર ફાઈલ્સને લઈને ફરી વિવાદ
OTT પ્લેટફોર્મે કરી હતી માંગ
અગાઉ કપિલ શર્મા મુદ્દે થયો હતો વિવાદ
'ધ કશ્મીર ફાઈલ્સ'નું ટ્રેલર સૌની સામે આવી ગયું છે ત્યારથી તે કશ્મીરી પંડિતોના દુ:ખ દર્દને વાચા આપતી આ ફિલ્મનું ટ્રેલર જોઈને લોકોના રૂવાંડા ઊભા થઈ જાય છે અને આ જ કારણ છે કે ટ્રેલર રિલીઝ થતાં જ તેને સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે હલચલ ઉભી કરી દીધી છે.
અગાઉ કપિલ શર્મા શો ને લઈને થયો હતો વિવાદ
આ ફિલ્મ સામે અગાઉથી વિવાદ ચાલી રહ્યો છે કારણ કે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આક્ષેપ કર્યો હતો કે કપિલ શર્મા શો માં આ ફિલ્મનું પ્રમોશન કરવા દેવામાં ન્હોતું આવ્યું અને કારણ એવું અપાયું હતું કે તેમ કોઈ મોટાં સ્ટાર્સ નથી.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 4, 2022
હવે ફરી થયો વિવાદ
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રીલીઝ કરવા સમયે પણ તેમણે એવી માગણી કરી હતી કે ફિલ્મમાંથી 'ઈસ્લામિક આતંકવાદ' શબ્દ હટાવી દેવામાં આવે અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુસલમાનોને મારવામાં આવ્યા ત્યારે 'હિન્દુ આતંકવાદ' શબ્દ પણ વાપરવો જોઈતો હતો.
વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મની આ અપેક્ષા તેઓ પૂરી કરવા તૈયાર નહોતા. અને આ માંગ પૂરી કરવાથી ફિલ્મનું હાર્દ જ ન્હોતું સચવાય એમ. આખરે તેમણે બીજા પ્લેટફોર્મ પરથી ફિલ્મ રીલીઝ કરવાનું વિચાર્યું હતું.
ધ તાશકંત ફાઈલ્સ બાદ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દર્શકોની વચ્ચે 'દ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારથી આ ફિલ્મ બનવાની વાત સામે આવી હતી.
અગાઉ લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ અંગે ફિલ્મ બનાવી
વિવેક અગ્નિહોત્રી અત્યાર પહેલાં ચોકલેટ, હેટ સ્ટોરીઝ, ધ તાશ્કંદ ફાઇલ્સ સહિત આઠ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકયા છે. અનુપમખેરે ખૂબ અંગત લાગણી સાથે આ ફિલ્મમાં કામ કર્યું છે. એવું કહી શકાય કે અ વેન્સડે પછી તેની વળી એક રાજકીય ખળભળાટ મચાવે તે પ્રકારની સાથેની ફિલ્મ છે.
1990ના ગાળામાં કાશ્મીરી પંડિતોને જે સંજોગોમાં કાશ્મીર છોડવું પડયું તેની દર્દનાક કહાણીઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં દર્શનકુમાર ક્રિષ્ના પંડિત તોઅનુપમ ખેર પુષ્કર નાથ પંડિતની ભૂમિકામાં છે જયારે મિથુન ચક્રવર્તી જમ્મુ-કાશ્મીરના ડિવીઝનલ કમિશનર બ્રહ્મ દત્તની ભૂમિકામાં છે.
આ સિવાય વિવેક અગ્નિહોત્રીની જ પત્ની પલ્લવી જોશી, પુનિત ઇસ્સર, મૃણાલ કુલકર્ણી આ ફિલ્મમાં છે વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી હિન્દુઓ વિશે ખૂબ જ સંશોધન પછી આ ફિલ્મ બનાવી છે. ઉત્તરાખંડના મસૂરી, દહેરાદૂનમાં આ ફિલ્મનું શૂટિંગ કરાયું છે.