વકીલ અને સામાજિક કાર્યકરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા એક પત્રમાં કશ્મીરી પંડિતોના નરસંહાર સંબંધિત એક માગ કરી છે.
દ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ
સમગ્ર દેશમાં હોંશે હોંશે જોઈ રહ્યા છે ફિલ્મ
આ ફિલ્મને લઈને રાષ્ટ્રપતિ પાસે કરવામાં આવી આ માગ
ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રીએ 'દ કશ્મીર ફાઈલ્સ' નામની ફિલ્મ બનાવી, જેને સમગ્ર દેશમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો આ ફિલ્મને લઈને અત્યંત ગંભીર છે. ત્યારે આવા સમયે કશ્મીરી પંડિતો પ્રત્યે લોકોની સહાનુભૂતિ દેખાઈ રહી છે. સાથે જ તેમને ન્યાય અપાવાની માગ પણ કરી રહ્યા છે. આ મામલામાં એક વકીલ અને સામાજિક કાર્યકરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા એક પત્રમાં કશ્મીરી પંડિતોના નરસંહાર સંબંધિત તમામ મામલાને ફરીથી ખોલવા અને કાશ્મીર ઘાટીમાં હત્યાઓની ઘટનાઓની ફરીથી તપાસ કરવા માટે એક સ્પેશિયલ SIT ટીમની રચના કરવાના નિર્દેશ આપવાની માગ કરી છે.
રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
વકીલ અને સામાજિક કાર્યકર વિનીત જિંદલે રાષ્ટ્રપતિને લખેલા પોતાના પત્રમાં 1989-1990માં કશ્મીરી પંડિતોના નરસંહાર મામલાની તપાસ માટે તેને ફરીથી ખોલવા અને તપાસ માટે એક એસઆઈટીની ટીમ બનાવાની માગ કરી છે. જિંદલે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો છે કે, એસઆઈટીને અત્યાર સુધી નોંધાયેલા કેસોની તપાસ કરવી જોઈએ અને પીડિતોને એક મંચ આપવું જોઈએ, જે ન્યાય અપાવવા માટે પુરતુ હોય. વકીલે તર્ક આપ્યો છે કે, જો 33 વર્ષ પહેલા થયેલા સિખ વિરોધી રમાખણો સંબંધિત મામલાને ફરીથી ખોલી શકતા હોય તો, પછી 27 વર્ષ પહેલા થયેલા કશ્મીર પંડિતોના મામલાને ફરીથી ખોલી શકાય અને તેની તપાસ કરી શકાય.
પંડિતોને ન્યાય અપાવા માટે ફરીથી તપાસ થાય
જિંદલે પત્રમાં કહ્યું છે કે, ઘટનાઓનો શિકાર લોકો શારીરિક, ભાવનાત્મક અને માનસિક આઘાતની સ્થિતિમાં હતા અને છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની આજીવિકા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને તે પોતાની ફરિયાદ નોંધાવા માટે, નિવેદન નોંધાવાની સ્થિતિમાં નહોતા. એટલા માટે તેઓ ન્યાયથી વંચિત રહી ગયા. પીડિતો માટે ન્યાયની માગ કરતા જિંદલે તર્ક આપ્યો હતો કે, જેવું કે પહેલાથી કહેવાય છે તે પ્રમાણે ન્યાયનું દાયિત્વ ઘણા બધા અંશે પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓ પાસે છે, જે નરસંહાર અને નુકસાનથી એકદમ અજાણ છે. ત્યારે આવા સમયે કશ્મીરી પંડિતોને સરકાર અને સંબંધિત અધિકારીઓ દ્વારા વધું એક મોકો આપવો જોઈએ.