દમણ અને દાદરા નગર હવેલી તંત્રનું સર્ક્યુલર પ્રસિદ્ધ, સરકારી કર્મચારીઓને 19 અને 20 માર્ચે પરિવાર સાથે ફિલ્મ વિનામુલ્યે દર્શાવશે
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈ મહત્વના સમાચાર
દમણ અને દાદરા નગર હવેલી તંત્રનું સર્ક્યુલર પ્રસિદ્ધ
સરકારી કર્મચારીઓને મફતમાં દર્શાવાશે ફિલ્મ
ધ કશ્મીર ફાઈલ્સ આ ફિલ્મ હાલ રેટીગથી લઈને પૈસાની કમાણી બાબતે ધૂમ મચાવી રહી છે.. વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ બનાવી છે તેમણે આ ફિલ્મ બનાવી અને પ્રમોશન સમયે તેમને અનેક કડવા અનુભવનો સામનો કરવો પડ્યો છે.. આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે કશ્મીરમાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને નરસંહારની સત્ય કહાની છે...તેમ છતા બોલિવૂડમાંથી કે કોઈપણ પ્રમોશન આપતી સિરીયલોનું આ ફિલ્મને સમર્થન મળ્યું ન હતું. પણ બાદમાં પીએમ મોદીએ ફિલ્મના વખાણ કરતાં સમગ્ર દેશમાં કશ્મીરી પંડિતો પર થયેલા દમનની હકીકતને જોવા થિયટરો હાઉસફૂલ થવા લાગ્યા છે.
દમણ અને દાદરા નગર હવેલીના સરકારી કર્મીઓને પરિવાર સાથે ફિલ્મ વિનામુલ્યે દર્શાવશે
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ ઘણા રાજ્યોને ટેક્સ ફ્રી કરી નાખી છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવા અન્ય ઘણા રાજ્યો છે. પણ દમણ અને દાદરા નગર હવેલી તંત્રનું સર્ક્યુલર પ્રસિદ્ધ કરી માહિતી આપી છે કે ત્યાં કામ કરતાં સરકારી કર્મચારી પરિવાર સાથે ફિલ્મ વિનામુલ્યે દેખાડવામાં આવશે. જેના માટે 19 અને 20 માર્ચે સિનેમાઘરોમાં સ્પેશિયલ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પાંચ દિવસમાં 60 કરોડની કમાણી કરી
ધ કશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર હાલ ધુઆંધાર કમાણી કરી રહી છે..મંગળવારે ફિલ્મે સોમવારથી પણ વધારે કમાણી કરી...ફિલ્મ બોક્સ ઓફિસ પર 17થી 18 કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ કર્યો...અને હવે અચાનક બલ્ક બુકિંગમાં વધારો શરૂ થયો છે...મોટી સંખ્યામાં લોકો એખ સાથે 100થી 200 ટિકિટ બુક કરાવી રહ્યા છે. પાંચ દિવસમાં 60 કરોડની કમાણી કરી લીધી છે.
ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.
19 જાન્યુઆરી 1990ની હકીકત અંગે મુવી
ઉલ્લેખનિય છે કે, આપણા દેશમાં અનેક લોકો એવા છે જેઓ ધર્મના નામે રાજકારણ કરીને પોતાનો રોટલો શેકતા હતા...આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરનારી ફિલ્મોને પણ આપણું આ બોલિવૂડ પ્રમોટ કરે છે જયારે કશ્મીરી પંડિતો પર અત્યાચાર કરવામાં આવ્યો તે સમયની સરકાર અને સેક્યુલર ગેંગના સભ્યો તે સમયે ક્યા હતા તે સવાલ આ ફિલ્મ જોઈને ચોક્કસ થાય છે.