ગુજરાતમાં કચ્છ એ ભારત-પાકિસ્તાનની સરહદે આવેલો જિલ્લો છે. કચ્છ જિલ્લામાં કોટેશ્વર નામનું એક ગામ વસેલું છે. આ ગામ એટલું સુંદર છે કે ત્યાં આવતા દરેક લોકોને ત્યાં વસી જવાની ઇચ્છા થાય. તમે કદાચ જાણતા હશો નહીં પરંતુ આ ગામથી સામેની તરફ આવેલું પાકિસ્તાનનું કરાંચી અહીંથી સ્પષ્ટ તમે જોઇ શકો છો. કરાંચી શહેરની રોશનીની એક ઝલક જોવા માટે દેશવિદેશના લોકો અહીં આવે છે.
લખપત જિલ્લામાં સમુદ્ર કાંઠે કોટેશ્વર મહાદેવનું મંદિર એ મુખ્ય આકર્ષણ છે. આ મંદિર એટલું મનોહક છે કે તમે આખો દિવસ અહીંયા બેસીને સમય પસાર કરી શકો છો. દરિયા કિનારે બનાવેલા આ મંદિરના ચરણે મોજા આવતા રહેતા છે. આ મંદિર કોટિ શિવલિંગોના કારણે ફેમસ છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે રાવણને તેની તપસ્યાના ફળ રૂપે ભગવાન શિવે એને એક શિવલિંગ આપ્યું હતું. જે આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું શિવનું વરદાન હતું. બીજું એવું પણ કહેવામાં આવે છે કે રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મૂકી દીધું હતું અને તે કોટેશ્વરની આ મંદિરની જગ્યાએ પડ્યું હતું. રાવણની આ બેદરકારીની સજારૂપે અહીં હાજરો શિવલિંગ સર્જાયા હતા. જેમાંથી રાવણ મૂળ શિવલિંગ પારખી શક્યો નહતો અને ખોટું શિવલિંગ ઉંચકીને ચાલવા લાગ્યો હતો. આમ, મૂળ શિવલિંગ તો ત્યાં જ રહી ગયું હતું અને અહીં કોટેશ્વર મંદિર બન્યું હતું.
કોટેશ્વરમાં ફરવા માટે બીજા અનેક પૌરાણિક મંદિરો છે. અહીં કુંડ પણ આવેલા છે. અહીંની ગુફાઓ પણ જોવાલાયક છે.
મુસાફરો અહીંયા રોકાઇ શકે એ માટે કોટેશ્વરથી 2 કિમીના અંતરે અનેક ધર્મશાળાઓ આવેલી છે.