લાંબા સમયથી ચાહકો ધ કપિલ શર્મા શોની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવવાનો છે. શો ઓનએર થવાની તારીખ સામે આવી ગઈ છે.
ચાહકોની આતુરતાનો આવ્યો અંત
આ તારીખથી શરૂ થશે ધ કપિલ શર્મા શો
છેલ્લા 6 મહિનાથી બંધ હતો શો
કોરોના મહામારીના આ સમયમાં જો તમે ઘરે બેસીને સ્ટ્રેસ ઓછું કરવા માંગો છો તો તમારા માટે સારાં સમાચાર છે. જી હાં, કપિલ શર્મા ફરી હસીનો ડોઝ લઈને આવી રહ્યો છે. ફેન્સ લાંબા સમયથી કપિલ શર્મા શોની રાહ જોઈ રહ્યાં હતા, હવે જલ્દી તેમની રાહનો અંત આવશે. ફેબ્રુઆરીમાં શો બંધ થયા બાદ ફેન્સ નિરાશ થી ગયા હતા. ત્યારે હવે કપિલ શર્મા શો ક્યારે ઓનએર થશે તેની ડેટ સામે આવી ગઈ છે.
કપિલ શર્માની સાથે બાકીના સ્ટાર્સ ભારતી સિંહ, કીકૂ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને કૃષ્ણા અભિષેક પહેલાંની જેમ શોમાં રહેશે. પરંતુ શોને નવા ક્લોવરમાં રજૂ કરવામાં આવશે. ટેલી ચક્કરના એક રિપોર્ટ અનુસાર, 'ધ કપિલ શર્મા શો' 21 જુલાઈથી ટીવી પર શરૂ થશે. આ વખતે શોને નવા ફોર્મેટ અને નવી ટીમ સાથે લોન્ચ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર કપિલ શર્માએ પોતાની ટીમની સાથે 15 મેથી શૂટિંગ શરૂ કરી દીધું છે. નવી સીઝનમાં વધુ કલાકારો અને લેખકોને તક આપવામાં આવશે, જોકે આ વખતે પણ સેટ પર લાઈવ ઓડિયન્સ હશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ફેબ્રુઆરીમાં કપિલ શર્મા ફરી એકવાર પિતા બન્યો હતો. એવું કહેવામાં આવતું હતું કે કપિલે તેની પત્ની ગિન્નીને સમય આપવા માટે જ કામમાંથી બ્રેક લીધો હતો. તે સમય દરમિયાન, કોવિડને કારણે ઘણાં બધાં ગેસ્ટ પણ શોમાં આવી શક્યા ન હતા, જેના કારણે નિર્માતાઓએ શોને થોડા સમય માટે ઓફ એર કરવાનો નિર્ણય લીધો હતો.
તમને જણાવી દઈએ કે, આ પહેલા કૃષ્ણા અભિષેકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શો મેમાં ફરી શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, અમે હજી તેની તારીખ નક્કી કરી નથી. તેણે કહ્યું કે શોમાં કંઈક નવું જોવા મળશે. કૃષ્ણાએ સંકેત આપ્યો હતો કે આ શો નવા ક્લેવરમાં દર્શકો સુધી પહોંચશે.