કોરોના વાયરસના સંક્રમણને કંટ્રોલ કરવા માટે દેશમાં હાલ 21 દિવસનું લોકડાઉન છે. બધી જ ફિલ્મો અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ બંધ થઈ ગયું છે અને ટેલિવિઝન પર રિપીટ ટેલીકાસ્ટ આવી રહ્યાં છે. દૂરદર્શન પર પણ 90ના દાયકાના સુપરહિટ શોઝ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે ચેનલની ટીઆરપીમાં પણ વધારો થયો છે. રામાયણ, મહાભારત, શક્તિમાન સહિતના ઘણાં શો વાપસી કરી ચૂક્યા છે. હવે બાળકો માટે એક શો શરૂ થવાનો છે.
હવે આ જ ક્રમમાં બાળકોનો ફેવરિટ મોગલી પણ દૂરદર્શન પર વાપસી કરવાનો છે. દૂરદર્શન પર પર સૌથી લોકપ્રિય થયેલું જંગલ બુક 8એપ્રિલથી પ્રસારિત થશે. દૂરદર્શનએ ટ્વિટર પર આ માહિતી શેર કરી અને કહ્યું, દૂરદર્શન પરજંગલ બુક. દરરોજ બપોરે 1 વાગ્યે તમારો પ્રિય શો જુઓ. આવતીકાલે 8મી એપ્રિલથી શરૂ થશે. એટલું જ નહીં રમેશ સિપ્પીનો શો બુનિયાદ પણ દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવશે.
આ વિશે માહિતી આપતાં દૂરદર્શને ટ્વીટ કર્યું કે, સાંજે 5 વાગ્યે પ્રખ્યાત ડિરેક્ટર રમેશ સિપ્પીના નિર્દેશનમાં બનેલા બુનિયાદ શો શરૂ ખશે. આ શો રોજ પ્રસારિત કરવામાં આવશે. જણાવી દઈએ કે દૂરદર્શને શાહરૂખ ખાનના ટીવી શો સર્કસનું ટેલિકાસ્ટ પણ શરૂ કરી દીધું છે. ધ જંગલ બુક વિશે વાત કરીએ તો બાળકોનો પ્રિય કાર્ટૂન શો પણ વડીલોનો પણ પ્રિય રહ્યો છે. મોગલી અને બગીરાની મિત્રતા બહુ જ ફેમસ છે.
તમને જણાવી દઈએ કે, દૂરદર્શન પર આ શોઝની વાપસીથી મોટો ફાયદો એ થયો છે કે, ચેનલની ટીઆરપી વધી છે. આ તમામ શો એ સમયે લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા અને ત્યારે લોકો પાસે કેબલ કનેક્શન પણ નહોતા. ડીટીએચ પણ બહુ ઓછાં લોકો લગાવતા હતા અને મોટાભાગના લોકો દૂરદર્શન જોઈને જ મનોરંજન કરતા હતા.