આર્થિક વિકાસ દરમાં સતત ઘટાડાના કારણે 2019 આખું વર્ષ દેશમાં મંદીનો માહોલ રહ્યો છે. જો કે આ માહોલમાં આગામી વર્ષે પણ સુધારો થવાની હાલ કોઈ આશા જણાતી નથી. અર્થતંત્રનાં તજજ્ઞોનું માનવું છે કે, આગામી વર્ષ 2020માં પણ રોજગારનાં બજારમાં મંદી રહેશે, તો આવતા વર્ષે પણ કેવી રહેશે મંદીની અસર જોઈએ આ અહેવાલમાં...
2020માં પણ મંદીમાં સુધારો થવાના કોઈ સંકેત જણાતા નથી
2020માં નવી રોજગારીના સર્જનમાં ફેરફાર થાય તેવું લાગતું નથી
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો થવાની શક્યતા ખૂબ ઘૂંધળી છે
2020માં પણ મંદીમાં સુધારો થવાના કોઈ સંકેત જણાતા નથી
દેશમાં છેલ્લાં એક વર્ષથી મંદીનો માહોલ છવાયેલો રહ્યો છે. વેપાર, ઉદ્યોગ, અને કૃષિ ક્ષેત્રે આ વર્ષે ભારે સુસ્તી જોવા મળી છે. દેશમાં આર્થિક વિકાસ દરમાં ઘટાડા વચ્ચે 2019નું વર્ષ રોજગાર સર્જનમાં સુસ્ત રહ્યું. આ મંદીમાં આગામી વર્ષ 2020માં પણ સુધારો થવાનાં કોઈ સંકેત જણાતા નથી.
2020માં નવી રોજગારીના સર્જનમાં ફેરફાર થાય તેવું લાગતું નથી
અર્થતંત્રનાં નિષ્ણાતોનું માનવું છે કે, 2020માં નવી રોજગારીનાં સર્જનમાં કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી.એટલું જ નહીં ખાનગી ક્ષેત્રે કામ કરતાં કર્મચારીઓનાં પગારમાં પણ વધારો થવાની શક્યતા ખૂબ ઘૂંધળી છે. મંદીનાં માહોલમાં ખર્ચ પર અંકુશ રાખવા માટે કંપનીઓ નવા કર્મચારીઓની નિમણૂક કરવાથી બચી રહી છે. કંપનીઓ નવા કર્મચારીઓની નિમણૂક કરવાનાં બદલે પોતાનાં વર્તમાન કર્મચારીઓની ક્ષમતા સુધારવા પર ભાર મૂકી રહી છે.
નવા કર્મચારીઓની નિમણૂકની દ્રષ્ટીએ 2020નું વર્ષ નિરાશાજનક
ભાગ્યે જ કોઈ કંપનીઓને વધારે કર્મચારીઓની જરૂર પડશે. અનેક કંપનીઓ નવા કર્મચારીઓના બદલે પોતાના વર્તમાન કર્મચારીઓની પ્રતિભા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કંપનાઓ એ સમીક્ષા કરશે કે, કર્મચારીઓ પાસે શું છે અને ઉદ્યોગગૃહને શાની જરૂરિયાત છે. આથી ઉદ્યોગગૃહો પોતાની જરૂરિયાતનાં હિસાબે કર્મચારીઓની પ્રતિભાઓનો વિકાસ કરશે. નવા કર્મચારીઓની નિમણૂકની દ્રષ્ટીએ 2020નું વર્ષ નિરાશાજનક રહેશે.
જીડીપનો દર નીચે આવ્યો છે
જે ઉદ્યોગગૃહોમાં રોજગારી વધી છે. તેવા ઉદ્યોગગૃહોની સંખ્યા ખૂબ ઓછી છે. તજજ્ઞોનું કહેવું છે કે બજારમાં યોગ્ય કર્મચારીઓની જરૂરિયાત યથાવત છે. ઉદ્યોગગૃહોનાં અગ્રણીઓનાં મત મુજબ 2020નો શરૂઆતનો ત્રિમાસિક ગાળો વધારે આશાસ્પદ નહી હોય. કેમકે, જીડીપનો દર નીચે આવ્યો છે અને કંપનીઓ પોતાનો વ્યાપ વધારવા સાવચેતી પૂર્વક આગળ વધી રહી છે.
કર્મચારીઓનાં પગારમાં વધારો થવાની પણ શક્યતા ખૂબ ઓછી
વર્ષ -2019માં વાહન, નિર્માણકાર્ય અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન ખૂબજ નબળું રહ્યું. સામાન્ય ચૂંટણીનાં કારણે સરકારી પહેલ ત્રણ માસ સુધી થંભેલી રહી. આ ઉપરાંત સરહદ પાર તણાવનાં કારણે પણ રોજગાર બજાર સુસ્ત રહ્યું. ત્યારે હવે 2020માં પણ નવી રોજગારીમાં વધારો થવાની કોઈ શક્યતા જણાતી નથી. કર્મચારીઓનાં પગારમાં વધારો થવાની પણ શક્યતા ખૂબ ઓછી છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે, વપરાશ અને રોકાણાં વધારો થાય છે કે નહીં.