જમ્મુ વિભાગના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં સેનાના ચાર જવાનો શહીદ થયા હતા
જમ્મુ વિભાગના પૂંચ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં આતંકવાદીઓનું એક જૂથ ઘેરાયેલું છે. સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓની સંખ્યા ચારથી પાંચ હોઈ શકે છે. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ સોમવારે સવારે પૂંચના સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટરમાં એક JCO અને ભારતીય સેનાના ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.
બે આતંકીઓને ઠાર
બીજી બાજુ, સુરક્ષા દળો કાશ્મીર વિભાગમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળ થયા છે. એક આતંકવાદી અનંતનાગમાં અને એક બાંદીપોરામાં માર્યો ગયો છે. બાંદીપોરામાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ હતી. તે ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.
રવિવારે મોડી રાત્રે શરૂ થયેલા અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ કામગીરીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જણાવી દઈએ કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ આતંકવાદીઓના સહાયકને પકડવા ગઈ હતી. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું અને તે આતંકીને મારવામાં સફળ થયા હતા. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા.
બાંદીપોરામાં ટીઆરએફના આતંકી ઇમ્તિયાઝ અહમદ ડારની હત્યા
પોલીસ, આર્મીની 13-આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બાંદીપોરામાં ગુંદ જહાંગીર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તેની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઇ હતી. તે એક TRF આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો. આ સાથે તે અન્ય આતંકવાદી હુમલામાં સામેલ હતો.