રાજ્યમાં આંદોલનની મોસમની વચ્ચે આજે ગાંધીનગરખાતે કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા થઈ હતી
રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પાણી મુદ્દે ચર્ચા થઇ
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પીવાની પાણી સ્થિતિ બાબતે ચર્ચા થઈ
અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ
રાજ્યમાં જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવવામાં આવી હતી. જેમાં રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અઘિકારીઓને આપવામાં આવી હતી.
પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,રાજ્યના કોઈ પણ નાગરિકને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની મીટિંગમાં રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 5, 2022
અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ
તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પીવાના પાણીની સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. આ સાથે અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓ અને રાજ્યના મંત્રીઓને આપવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મીટિંગમાં રાજ્યમાં પશુઓ માટે પીવાના પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ હતી.