અર્જુન મોઢવાડિયાના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું છે કે, 2022માં અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ થઈ હતી અને સી-પ્લેન ઑપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલીના કારણે બંધ છે.
સી-પ્લેન ઑપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલી કારણે બંધ: સરકાર
વિધાનસભા ગૃહમાં સી-પ્લેન સેવાનો મુદ્દો ઉછળ્યો છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સી-પ્લેનને લઈ પ્રશ્ન પૂછ્યો છે, અર્જુન મોઢવાડિયાના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. સરકાર જવાબમાં જણાવ્યું કે, 2022માં અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ થઈ હતી અને સી-પ્લેન ઑપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલી કારણે બંધ છે.
અર્જુન મોઢવાડિયાને સરકારનો જવાબ
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સી-પ્લેનને લઈ પૂછેલા સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે, નાણાંકીય કારણોસર 2021થી સી-પ્લેન સેવા બંધ કરાઈ છે. ઑપરેટરના ઑપરેટિંગ માટે ઊંચી કોસ્ટને કારણે સી-પ્લેન સેવા બંધ થઈ છે અને ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટ ઓપરેશનલ અને મેઇન્ટેનન્સમાં સમસ્યા છે. સી-પ્લેન માટે અત્યાર સુધી રૂપિયા 13.15 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
ધારાસભ્ય કાંતિ ખરાડીના સવાલ પર જવાબ
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકારી પ્લેન, હેલિકોપ્ટર અને જેટ એરોપ્લેન પાછળ કરોડોનો ખર્ચ મુદ્દે સવાલ કર્યા હતો જેનો સરાકરે જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2021માં પ્લેન પાછળ 4 કરોડ 18 લાખ 96 હજાર 256 રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમજ વર્ષ 2022માં પ્લેન માટે 4 કરોડ 90 લાખ 97 હજાર 742 રૂપિયાનો ખર્ચ થયો છે અને વર્ષ 2021માં હેલિકોપ્ટર પાછળ 4 કરોડ 1 લાખ 41 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.
હેલિકોપ્ટર પાછળ વર્ષ 2022માં 4 કરોડ 59 લાખ 85 હજાર રૂપિયાનો ખર્ચ તેમજ જેટ એરોપ્લેન પાછળ વર્ષ 2021માં 11.24 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. વર્ષ 2022માં જેટ એરોપ્લેન પાછળ 12.81 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.