વેક્સિન અંગે બ્રિટીશ હાઈ કમિશન ભારત સાથે ચર્ચા કરી રહ્યું
વિદેશમંત્રી પણ ટ્વિટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો
બ્રિટનનો ખુલાસો આ મામલે અમે ભારત સાથે સંપર્કમાં છે
બ્રિટને સોમાવારે કહ્યું હતું કે, તેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતાં કોવિડ-19 વિરોધી રસીકરણ પ્રમાણપત્રોની સ્વીકાર્યતા વધારવા અંગે ભારત સાથે ચર્ચામાં છે. બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાનું આ નિવેદન બ્રિટનના નવા પ્રવાસ નિયમોની ટીકા વચ્ચે આવ્યું છે.નવા નિયમો હેઠળ, ભારતીય પ્રવાસીઓ કે જેમણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે તેમને રસીકરણ ગણવામાં આવશે નહીં અને તેમને 10 દિવસ માટે અલગતામાં રહેવું પડશે.
Pleased to meet new UK Foreign Secretary @trussliz.
Discussed the progress of Roadmap 2030. Appreciated her contribution on the trade side.
Exchanged views on developments in Afghanistan and the Indo-Pacific.
વિદેશમંત્રી એસ.જયશંકરે પણ ટ્વિટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો
આ સાથે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આ મામલો બ્રિટનના નવા વિદેશ સચિવ સાથેની બેઠક દરમિયાન ઉઠાવ્યો હતો. તેમણે એક ટ્વિટમાં કહ્યું, પરસ્પર હિતમાં સંસર્ગનિષેધ મુદ્દાના વહેલા ઉકેલ માટે વિનંતી કરી.
આ મુદ્દે ભારત સાથે વાતચીત કરીશું
4 ઓક્ટોબરથી અમલમાં આવતા નિયમો અંગે ભારતમાં ચિંતા અંગે પૂછવામાં આવતા, બ્રિટિશ હાઇ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે યુકે આ મુદ્દે ભારત સાથે વાતચીત કરી રહ્યું છે અને જલદીથી આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "યુકે શક્ય તેટલી વહેલી તકે આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરીથી ખોલવા માટે પ્રતિબદ્ધ છે અને જાહેર આરોગ્યને સુરક્ષિત કરતી વખતે લોકોને સલામત રીતે ફરી મુક્ત રીતે મુસાફરી કરી શકે
બ્રિટન 4 ઓક્ટોબરથી આ નિયમોમાં ફેરફાર કરશે
મહત્વનું છે કે, બ્રિટને એલાન કર્યું છે કે 4 ઓક્ટોબરથી હવે ફક્ત તેનું રેડ લિસ્ટ રહેશે એટલ કે તમામ યાદીને ભેળવી દેવામાં આવશે. આ યાદીમાં રહેલા લોકોને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.બ્રિટને જે રસીને માન્યતા આપી છે તેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોનેટેક, મોર્ડના અથવા જોનસન એન્ડ જોનસનની રસી સામેલ છે