કોરોનાનાં વધી રહેલા કેસોને લીધે સરકાર આજે અને કાલે દેશભરની તમામ હોસ્પિટલોમાં મૉક ડ્રિલનું આયોજન કરી રહી છે.એકાએક વધી રહેલા કોરોનાનાં કેસોને લઈને IMAએ 3 મુખ્ય કારણો જણાવ્યાં છે.
કોરોનાનાં વધી રહેલા કેસોની વચ્ચે સરકારની મોક ડ્રિલ
આજે અને કાલે દેશભરની હોસ્પિટલોમાં થશે મોક ડ્રિલ
IMAએ એકાએક વધી રહેલા કેસોને લઈને 3 કારણો જણાવ્યાં
દેશમાં કોરોના ફરી એકવાર વિકરાળ રૂપ લઈ રહ્યું છે. કોરોનાનાં વધતાં મામલાઓને જોતાં સરકાર આજે અને કાલે દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરી રહી છે. લોકડાઉનનાં ડરથી અનેક રાજ્યોમાં માસ્ક પણ ફરજિયાત થઈ ગયું છે. દેશમાં કોરોનાનાં સંક્રમણનો દર વધીને 6.91% સુધી વધી ગયો છે. એકાએક વધી રહેલા કેસોનાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMAએ 3 કારણો જણાવ્યાં છે.
વધી રહેલા કેસોનાં હોઈ શકે છે આ 3 કારણો
સૂત્રો અનુસાર IMAએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનાં અચાનક વધવા પાછળ 3 મુખ્ય કારણ હોઈ શકે છે. પ્રથમ- વ્યવહારમાં ઢીલ, દ્વિતીય- ઓછું પરીક્ષણ દર અને ત્રીજું- વાયરસનાં એક નવા વેરિયન્ટનો ફેલાવો.
"The reasons behind the recent Covid surge in our country may be the relaxation of Covid-19 appropriate behaviour, low testing rate and the emergence of a new variant of Covid": Indian Medical Association pic.twitter.com/jYKXhrqXZS
છેલ્લાં કેટલાક સમયથી ટેસ્ટિંગ દરમિયાન કોરોનાનાં નવા-નવા વેરિયન્ટની માહિતી મળી આવી છે. આ નવો વેરિયન્ટ અગાઉ કરતાં વધુ સંક્રામક અને ઘાતક છે. INSACOGએ હાલમાં જ જણાવ્યું હતું કે XBB.1.16 વેરિયન્ટ ભારતમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમણનાં 38.2% કેસો માટે જવાબદાર છે.
24 કલાકમાં કુલ 14નું મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ભારતે સોમવારે 5880 નવા કોવિડનાં મામલાઓની સૂચના આપી જે રવિવારની ગણતરી 5357થી વધારે છે. આ સાથે સક્રિય મામલાઓ 35199 સુધી પહોંચી ગયાં છે.24 કલાકમાં 14 મોત પણ નોંધાઈ છે. મૃત્યુ પામનારાઓની વધુ સંખ્યા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં છે. છેલ્લાં 24 કલાકમાં 3481 લોકો સ્વસ્થ થયાં છે.
મોક ડ્રિલ
દેશભરની હોસ્પિટલોમાં કોરોનાની તૈયારીઓનું ચેકિંગ કરવા માટે સરકારની તરફથી 2 દિવસિય મોક ડ્રિલ આયોજિત કરવામાં આવી રહી છે. રવિવારનાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 10 અને 11 એપ્રિલનાં રોજ મોક ડ્રિલ આયોજિત કરવામાં આવશે.