ખેડુત આંદોલનને ભડકાવતા કેટલાક ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરવા ભારત સરકારે આંગળી ચીંધી છે.
ભારત સરકારે 1200 ટ્વીટર એકાઉન્ટ ડીલીટ કરવા આપ્યો આદેશ,
ખેડુત આંદોલન વિશે અફવાઓ ફેલાવવાનો હતો આરોપ
આંતરરાષ્ટ્રીય સેલીબ્રીટીએ આંતરિક મુદ્દે બોલવુ નહીં
ઉલ્લેખનીય છે કે છેલ્લાં 3 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેના સમર્થન અને વિરોઘમાં ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. ભારત સરકારે અગાઉ પણ ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરાવવાનો આદેશ આપ્યો હતો. ફરી એકવાર કેટલાંક ટ્વિટર એકાઉન્ટ હટાવવાનો નિર્દેશ કરાયો છે.
આખરે કેમ કર્યો આવો નિર્દેશ
3 મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને ભડકાવવાનો અંદાજો ભારત સરકારે કાઢ્યો છે. અમુક ટ્વિટર એકાઉન્ટ પર ખેડૂત આંદોલનથી જોડાયેલી અફવાઓ ફેલાવવાનો આરોપ પણ મૂક્યો છે. જેને લઈને સરકારે એવા ટ્વિટર એકાઉન્ટ હટાવવા માટે નિર્દેશ ક્યો છે જેના થકી અફવાઓ ફેલાય છે.
પાકીસ્તાનનો હાથ હોવાનો દાવો
કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ભારત સરકારે લીધેલા આ નિર્ણયમાં પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો કર્યો છે. ભારત સરકારનું માનવુ છે કે, કેટલાંક એકાઉન્ટ ખેડૂત આંદોલનનો ફાયદો ઉઠાવીને ખાલીસ્તાની વિચારધારાવાળા ભડકાઉ વાતોને ફેલાવવા માટે જવાબદાર છે. તેમાના કેટલાંક ટ્વિટર એકાઉન્ટ પાકિસ્તાન અને બીજા અન્ય દેશોમાંથી ઓપરેટ થતાં હતાં
કેટલા ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરવા કહ્યું
મળતી માહિતી મુજબ 4 ફેબ્રુઆરીએ આઈટી મંત્રાલય તરફથી ટ્વિટરને કુલ 1178 ટ્વિટર એકાઉન્ટનું લાસ્ટ સોંપવામાં આવ્યું હતું. ામાથી કેટલાંક એકાઉન્ટ એવા હતા કે જે આપમેળે જ માહિતી શેર કરતા હતા જેથી કોઈપણ વાત ઝડપથી ફેલાઈ શકે. જો કે ટ્વિટર તરફથી સરકારના આ નિર્દેશ પર કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.
અગાઉ કેટલા એકાઉન્ટ બેન થયા હતા
મહત્વનું છે કે, આ પહેલા પણ ભારત સરકારે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા કેટલાંક ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબન્ધ મુકવા પર ભાર મુક્યો હતો. તે અંગેના 257 ટ્વિટર એકાઉન્ટનું લીસ્ટ ટ્વિટરને સોંપવામાં આવ્યુ હતું અને લીસ્ટ પ્રમાણેના એકાઉન્ટ પર બેન લગાવવામાં પણ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગણતરીના કલાકોમા તે તમામ એકાઉન્ટ ફરીથી ચાલુ પણ કરી દેવામાં આવ્યા હતાં. સરકોરા તે બાબતે નારાજ થઈને ટ્વિટર પામેથી જવાબ પણ માંગ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સેલીબ્રીટીને આપ્યો જડબાતોડ જવાબ
3 મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં આંતરરાષ્ટ્રીય સેલીબ્રીટી પોતાની ટીપ્પણી કરી રહ્યાં છે. જેમાં પોપ સ્ટાર રિહાના, મોડલ અમાંડા સેર્ની, મિયા ખલીફા, ગ્રેટા થનબર્ટ જેવા ખ્યાતનામ નામો સામેલ છે. જેમની ટ્વિટ બાદ તેઓ ઘણી ચર્ચામાં રહ્યાં છે. રિહાનાની ટ્વિટને તો ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીએ પણ લાઈક કરીને વખાણ કર્યા હતાં. ભારત સરકારે તેમને જવાબ આપતાં કહ્યું કે, આ બાબતે બહારના કોઈએ આંતરિક મુદ્દે કમેન્ટ કરવી જોઈએ નહીં ,એ પણ તે સમયે કે જ્યારે વિષયની પૂરી જાણકારી જ ન હોય.