અપઘાનિસ્તાનની પરિસ્થિતીને લઈને વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથે વાતચીત કરી. જેમા તેમણે પોત પોતાના દેશના લોકો કે જેઓ ત્યા ફસાયા છે તેમને બહાર કાઢવાને લઈને ચર્ચા કરી હતી.
ભારતના વિદેશમંત્રીએ અમેરિકાના વિદેશમંત્રી સાથે કરી વાત
કાબુલમાં ફસાયેલા ભારતિયોને બહાર કાઢવા મુદ્દે કરી ચર્ચા
કાબુલ એરપોર્ટ પર તાલિબાનનો આતંક
તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીઘા બાદ ભારત શહિદ અનેક દેશના નાગરિકો કાબુલમાં ફસાયેલા છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને ફોન પર વાતચીત કરી છે. જેમા તેમણે કાબુલમાં ફસાયેલા નાગરિકોને બહાર નિકળાવાની ચર્ચા કરી હતી.
એક સપ્તાહમાં બે વખત વાતચીત
છેલ્લા એક સપ્તાહમાં બંને નેતાઓએ બીજી વખત એકબીજા સાથે વાતચીત કરી છે. વિદેશ વિભાગના પ્રવતક્તા નેડ પ્રાઈલે કહ્યું કે બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતી મુદ્દે ચર્ચા કરી હતી. જોકે બીજી તરફ તાલિબાન કાબુલ એરપોર્ટ પર અફરાતફરી મચાવી રહ્યું છે.
લોકો સુરક્ષીત બહાર નીકળે તેવા પ્રયાસ
અમેરિકા અને ભારત સહિત જે પણ દેશના લોકો હાલ અફઘાનિસ્તાનમં ફસાયા છે તેઓ સુરક્ષીત ત્યાથી બહાર નીકળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્રની યાત્રાએ ગયા હતા ત્યારે ત્યા પણ દ્વિપક્ષીય બેઠકોમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતીને લઈને ચર્ચા થઈ હતી.
ભારતની અફઘાનિસ્તાનની સ્થિતી પર સતત નજર
વિદેશ મંત્રીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનની સ્થિતી પર સતત નજર રાખી રહ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે માત્ર ભારત નહી પરંતુ આખા વિશ્વનું ધ્યાન અત્યારે અફઘાનિસ્તાનની પરિસ્થિતી પર છે. જેથી ભારત પણ તેમના નાગરિકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત લાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
120 ભારતીયોને પરત લવાયા હતા
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી એસ જયશંકર મેક્સિકો, પનામા અને ગુયાનાની યાત્રા પણ નથી કરવાના. ગત મંગળવારે કાબુલથી આપણા રાજદુત રવેન્દ્ર ટંડન અને કાબુલ દૂતાવાસના કર્મચારીઓને પરત લાવવામાં આવ્યા હતા. જેમા કુલ 120 જેટલા ભારતીયોને પરત આપણા દેશમાં લાવવામાં આવ્યા હતા જેઓ ત્યા ફસાઈ ગયા હતા.