જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 ની નાબૂદી પછી સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ અભિયાન શરૂ કરાયું હતું, આ અભિયાન હેઠળ પાકિસ્તાન તરફી ઘણા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને પણ ઘૂસણખોરી માટેની કોશિશો તેજ કરી હતી ,પરિણામે સંઘર્ષ વધ્યો હતો.
શોપિયાં એન્કાઉન્ટર તપાસનો રિપોર્ટ આવ્યો સામે
એન્કાઉન્ટરમાં સામેલ જવાનો પર થશે કાર્યવાહી
સેનાએ આ એન્કાઉન્ટર મામલે આપ્યા હતા તપાસના આદેશ
જો કે આ જ શ્રેણીમાં સેના દ્વારા કરાયેલા એક એન્કાઉન્ટરની તપાસનો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં જવાનોએ મજૂરોનું એન્કાઉન્ટર કરી નાખ્યું હોવાની વાત સામે આવી છે. આ વિશેની સૌપ્રથમ માહિતી સોશિયલ મીડિયામાં ફેલાઈ હોવઅનુ સામે આવ્યું હતું.
જવાનોએ આતંકી સમજી આ ત્રણેય વ્યક્તિને આતંકી સમજી ઠાર કર્યા હતા.
આ એન્કાઉન્ટરમાં આક્ષેપો લાગ્યા હતા, કે સેનાએ આતંકીઓની જગ્યાએ મજૂરોનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે. જેને લઈને ભારતીય સેનાએ તપાસના આદેશો આપ્યા હતા, જેમાં રિપોર્ટ સામે આવ્યો હતો કે મૃત્યુ પામનાર લોકો મજૂરો જ હતા, જેને લઈને હવે સેનાએ આ એન્કાઉન્ટરમાં સામેલ જવાનો પર કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તપાસ રિપોર્ટ 4 સપ્તાહ બાદ આવ્યો હતો અને તેમ સામે આવ્યું હતું કે મૃત્યુ પામનાર લોકો આતંકીઓ નહીં પરંતુ મજૂરો જ હતા.