સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે સરહદી વિસ્તારોમાં બનાવાયેલા 44 પુલનું એકીસાથે ઉદ્ઘાટન કર્યું હતું. આમાંના મોટા ભાગના ચીન સાથેની સરહદ ધરાવતા રાજ્યો જેવા કે લદ્દાખ, અરુણાચલ, સિક્કિમ અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં છે.જ્યારે કે કેટલાક પુલ પાકિસ્તાન સરહદ પર પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ બનાવવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમમાં બનાવાયા છે પુલ
પાકિસ્તાન સરહદે પંજાબમાં પણ બનાવાયા છે પુલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યું એકીસાથે 44 પુલનું ઉદ્ઘાટન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એ સરહદી વિસ્તારોમાં બનાવાયેલા 44 પુલનું એકીસાથે એક ઓનલાઈન સમારોહમાં લોકાર્પણ કરી નાખ્યું હતું. તેમણે ચીન નું નામ લીધા વિના કહ્યું હતું કે પીએમ મોદી ના શાસન કાળમાં ભારત ન માત્ર દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે પરંતુ સરહદી વિસ્તારોમાં ઐતિહાસિક પરિવર્તનો પણ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આ પુલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાનો પર આવેલા છે અને તેમાંથી 7 લદાખમાં છે જેમાં હાલમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
Dedicating to the nation 44 bridges constructed by Border Roads Organisation via video conferencing. Do watch! https://t.co/apQzyOU6YH
ચીન અને પાકિસ્તાન એક મૂવમેન્ટના ભાગરૂપે વિવાદ વધારી રહ્યા છે: રાજનાથસિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ પાકિસ્તાન અને ચીન સાથેની સરહદી સ્થિતિ તરફ નિર્દેશ કરીને જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરી અને પૂર્વી સરહદ પર ચાલી રહેલી સ્થિતિની સૌ કોઈને ખબર છે, ચીન અને પાકિસ્તાન સાથે ભારત 7000 કિમી જેટલી સરહદ ધરાવે છે અને આ વિસ્તારોમાં હાલમાં તણાવની સ્થિતિ છે.
Extremely happy to dedicate 44 major permanent bridges to the Nation today. The Foundation Stone for Nechiphu Tunnel was also laid on this occasion in Arunachal Pradesh.
These border infrastructure projects are of strategic importance and provide connectivity to remote areas. pic.twitter.com/aaonpDFhUw
These 44 bridges are spread over seven states and union territories. I congratulate DG Border Roads Organisation and his team for doing exemplary work in challenging times. Inauguration of 44 bridges in one go in itself is a significant achievement.
સાથે જ તેમણે કહ્યું હતું કે આ પુલ સેનાની સાથે સામાન્ય જનતા માટે પણ ફાયદાકારક પૂરવાર થશે. સરહદી વિસ્તારોમાં સેનાની મૂવમેન્ટ માટે આ ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોરોના કાળમાં આ કામને વણથંભ્યું પૂર્ણ કરી નાખવા માટે તેમણે BRO બોર્ડર રોડ ઓર્ગેનાઝેશન ની પણ પ્રશંસા કરી હતી.
These 44 bridges are spread over seven states and union territories. I congratulate DG Border Roads Organisation and his team for doing exemplary work in challenging times. Inauguration of 44 bridges in one go in itself is a significant achievement.
સૂત્રોને મળેલી જાણકારી મુજબ આ પુલથી સરહદી વિસ્તારોમાં સૈનિકો અને હથિયારોના ટ્રાન્સપોર્ટ ને ગતિ મળશે. ઓછા સમયમાં હથિયારો અને અન્ય સામગ્રીને મોકલી શકાશે. સંરક્ષણ મંત્રીએ અરુણાચલ પ્રદેશ માં નેસિફુ ટનલની આધારશીલા પણ મૂકી હતી. આ પુલથી ભારત ની સરહદી સ્થિતિ વધુ મજબૂત બનશે.
Despite facing the challenges posed by the Pandemic and the situation at the borders India has been resolute in its response. The nation has also been successful in completing its infrastructure projects under the inspiring leadership of our Prime Minister Shri @narendramodi.