કાલરોક કેપિટલ અને યુનાઇટેડ આરબ અમીરાત ( UAE ) ના રોકાણકાર મુરારી લાલ જાલાનની યુકે સ્થિત કન્સોર્ટિયમ હવે જેટ એરવેઝના નવા માલિકો બનશે.
કાલરોક અને મુરારિલાલ જાલાનની બનેલી કન્સોર્ટિયમએ જીતી બોલી
કાલરોક કેપિટલ એ બ્રિટન બેઝ્ડ કંપની છે
મુરારીલાલ જાલાન UAE ના જાણીતા રોકાણકાર છે
યુકે સ્થિત કાલરોક કેપિટલ અને યુનાઇટેડ આરબ અમીરાત ( UAE ) ના ઉદ્યોગસાહસિક મુરારી લાલ જાલાનનો કન્સોર્ટિયમ હવે જેટ એરવેઝના નવા માલિકો બનશે.
ફંડની સમસ્યાને લીધે બંધ થઈ હતી આ એરલાઈન્સ
જેટ એરવેઝ ને લોન આપવા વાળી ક્રેડિટર્સ કમિટી(committee of creditors/COC) દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. લગભગ એક વર્ષ પહેલા જેટ એરવેઝ ઓપરેટ કરવા માટે ભંડોળની ગંભીર સમસ્યાને કારણે જેટ એરવેઝ ને બંધ કરવી પડી હતી.
એરલાઈન્સ ના લેન્ડર દ્વારા એપોઇન્ટ કરાયેલા રીઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાબરિયા દ્વારા સ્ટોક એક્સચેન્જને આપાયેલી માહિતી માં કહેવામાં આવ્યું હતું કે ઇ-મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે, એટલે કે 17 ઓક્ટોબર, 2020 ના રોજ તે પૂર્ણ થઈ ગયું છે અને ક્રેડિટર્સ કમિટી એ કોડની કલમ 30 (4) હેઠળ મુરારિલાલ જાલાન અને ફ્લોરીએન ફ્રીટશ ના રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.
આ બંને કન્સોર્ટિયમ પાસેથી બિડ મળી હતી
જેટ એરવેઝ ને બે કન્સોર્ટિયમ માંથી બિડ મળી હતી, એક યુકે સ્થિત કાલરોક કેપિટલ અને UAE ના ઉદ્યોગસાહસિક મુરારી લાલ જાલાન અને બીજી હરિયાણાની ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનીક સેન્ટર FSTC, મુંબઇ સ્થિત બિગ ચાર્ટર અને અબુધાબીની ઇમ્પિરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ એલએલસી હતી.
જેટ એરવેઝ ફરી ઉડાન ભરશે
આની સાથે જ દેવામાંથી ડૂબી ગયેલી અને નાદાર જાહેર થયેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝ ના ફરી એકવાર ઉડવાની આશા વધી ગઈ છે. જેટ એરવેઝે એપ્રિલ 2019 માં કામગીરી બંધ કરી દીધી હતી. એક વર્ષથી વધુ સમય પછી, ધીરનારએ જેટ એરવેઝ ને પુનર્જીવિત અને સંચાલિત કરવાની કોઈની દરખાસ્ત સ્વીકારી છે. નરેશ ગોયલની આ વિમાન કંપનીની કેશ રકમ ખલાસ થઈ ગઈ હતી જેના કારણે તેની કામગીરી બંધ કરવી પડી હતી.