ભારતીય વાયુસેનામાં હવે S-400 મિસાઈલ શામેલ કરવામાં આવશે. જેથી હવે ભારતની તાકાતમાં વધારો થશે. આ મિસાઈલ 400 કિમીના અંતરે 36 ટાર્ગેટને ખાખ કરી શકે છે.
ભારતીય વાયુસેનામાં S-400 મિસાઈલ સામેલ થશે
400 કિમીના અંતકરે 36 ટાર્ગેટને કરી કાઢશે ખાખ
રશીયાએ આ મિસાઈવ પહેલાથી તૈનાત કરી રાખી છે
ભારતીય વાયુસેના દુશ્મન સામે લડવા માટે સતત મજબૂત થઈ રહી છે. આ વર્ષે S-400 એર ડિફેંસ મિસાઈલ દેશની તાકાત વધારશે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ S-400 ડિફેંસ મિસાઈલને વાયુસેનામાં શામેલ કરાવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ભારતીય સેનાની તાકાત આ મિસાઈલને કારણે ઘણી વધી જશે.
ચીને પણ રશીયા પાસેથી મિસાઈલ ખરીદી છે
આપને જણાવી દઈએ કે વિશ્વના મોટા ભાગના દેશોએ તેમના સંવેદનશીલ ક્ષેત્રોમાં પાવરફુલ મિસાઈલ સિસ્ટમ S-400 તેનાત કરી રાખી છે. રશિયાએ પણ તેના સંવેદનશીલ ક્ષેત્રોમાં આ મિસાઈલ તૈનાત કરી રાખી છે. સાથેજ ચીને પણ રશીયા પાસેથી આ મિસાઈલ ખરીદી રાખી છે.
એક વારમાં 100 ટાર્ગેટ ઓળખવાની ક્ષમતા
S-400 વિશ્વની સૌથી વિકસિત એર ડિફેંસ સિસ્ટમમાંની એક સિસ્ટમ છે. આ ડિફેંસ સિસ્ટમ 1 હજાર કિલોમીટર સુધી એરક્રાફ્ટ, બોમ્બસ અને મિસાઈલ ટ્રેક કરી શકે છે. ટ્રેકિગની સાથે 400 કિલોમીટરની રેન્જ પર આ મિસાઈલ ટાર્ગેટ કરી શકે છે. આપને જણાવી દઈએ કે એક વખતમાં આ મિસાઈલ 100 ટાર્ગેટ ઓળખી શકે છે.
30 કિમીની ઉચાઈએ 400 કિમી સુધી ટાર્ગેટ કરશે
સુપરસોનિક અને હાઈપરસોનિક મિસાઈલોની સરખામણીએ આ મિસાઈલ 30 કિમીની ઉચાઈએ તેમજ 400 કિમી સુધી ટાર્ગેટ કરી શકે છે. આ મિસાઈલ 400 કિમીની રેન્જમાં એક સાથે 36 ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. મિસાઈલમાં 12 લોન્ચર હોય છે. જેમા દરેક લોન્ચરની ક્ષમતા અલગ અલગ છે. જેનાથી ત્રણ પ્રકારની મિસાઈલને એક સાથે ટાર્ગેટ કરી શકાય છે.
રશીયા S-500 મિસાઈલ બનાવાની તૈયારીમાં
ઉલ્લેખનીય છે કે તત્કાલીન યૂએસએસઆર જ્યારે રશિયાનો ભાગ હતો ત્યારે 1967માં એર ડિફેન્સ સિસ્ટમ S-200 અંગારાને વિકસિત કરવામાં આવી હતી. આ એસ સિરીઝની પહેલી મિસાઈલ હતી. ત્યારબાદ S-400 મિસાઈલ વિકસિત કરવામાં આવી. જોકે હવે રશિયા S-500 મિસાઈલ વિકસીત કરી રહ્યું છે.