કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આગામી ૨ ઓક્ટોબરથી કોઇ પણ ઇન્કમટેક્સ ઓફિસર કોઇ પણ વ્યક્તિને સીધી ઇન્કમટેક્સ નોટિસ મોકલી શકશે નહીં. કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે ઇન્કમટેક્સ અધિકારીઓની મનસ્વિતાને બ્રેક લાગશે.
કોઇ પણ ઇન્કમટેક્સ ઓફિસર કરદાતાને ઇન્કમટેક્સની નોટિસ સીધી મોકલી શકશે નહીં
કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે ઇન્કમટેક્સ અધિકારીઓની મનસ્વિતાને બ્રેક લાગશે.
કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સ નોટિસ ઇશ્યૂ કરવાની બાબતે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આગામી ૨ ઓક્ટોબરથી કોઇ પણ ઇન્કમટેક્સ ઓફિસર કોઇ પણ વ્યક્તિને સીધી ઇન્કમટેક્સ નોટિસ મોકલી શકશે નહીં.
મોદી સરકારના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસની સિદ્ધિઓ જણાવવા અંગે આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન રવિશંકર પ્રસાદે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે ૨ ઓક્ટોબરથી કોઇ પણ ઇન્કમટેક્સ ઓફિસર કરદાતાને ઇન્કમટેક્સની નોટિસ સીધી મોકલી શકશે નહીં.
પ્રત્યેક ઇન્કમટેક્સ નોટિસને એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમમાં મોકલવી પડશે અને આ સિસ્ટમમાં યોગ્ય તપાસ થયા બાદ તે આગળ મોકલવામાં આવશે. આમ હવે ઇન્કમટેક્સ અધિકારી પોતાની મનમાની રીતે ઇન્કમટેક્સ નોટિસ મોકલવાનો નિર્ણય લઇ શકશે નહીં. કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે ઇન્કમટેક્સ અધિકારીઓની મનસ્વિતાને બ્રેક લાગશે.
રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા સંબંધિત મુદ્દાઓ પર કાયદા મંત્રાલય અભ્યાસ કરી રહ્યો છે. કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગના પ્રધાન રવિશંકર પ્રસાદે છેલ્લા ક્વાર્ટર દરમિયાન જીડીપી વૃદ્ધિદર ઘટીને ૫.૧ ટકા થવા પર જણાવ્યું હતું કે તેની પાછળ કેટલાક વૈશ્વિક અને કેટલાક ઘરેલુ પરિબળ જવાબદાર છે.
તેમણે ખાતરી આપી હતી કે દેશના અર્થતંત્રનો પાયો ઘણો મજબૂત છે. કારણ કે મોંઘવારી, રાજકોષીય ખાધ વગેરે નિયંત્રણમાં છે. એ જ રીતે વિદેશી રોકાણ અને ફોરેક્સ રિઝર્વની પણ સ્થિતિ સારી છે. દેશમાં ટેક્સ બેઝનો દાયરો વધ્યો છે અને દેશ હવે ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રમાં આગળ છે.