હિન્દુ સંગઠનોએ વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન આપ્યું, શહેર સજ્જડ બંધ રહ્યું, શહેરીજનોને મોટી રેલી કાઢી વિરોધ કર્યો
ગુજરાતમાં લવ જેહાદની ઘટના?
પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીઓને ભગાડી ગયા
વિધર્મી યુવકો સામે કડક કાર્યવાહીની માગ
ભાવનગર જીલ્લાના પાલીતાણામાં હિન્દુ સંગઠનો સાથે શહેરીજનો હાલ રસ્તા પર ઉતર્યા છે. તેનું એક માત્ર કારણ છે પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીને ભગાડી ગયા છે. હિન્દુ સંગઠનોમાં સમગ્ર મામલે રોષ વ્યાપ્યો છે. વિધર્મી યુવકો પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે.લવ જેહાદ થયો હોવાની વાતો થઈ રહી છે.
પાલિતાણામાં હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ મોટી સંખ્યામાં એક સાથે મળી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીઓને ભગાડી જતા લોકોમાં ભારોભાર રોષની લાગણી છવાઈ રહી છે. હિન્દુ સંગઠનોએ વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન આપ્યું હતું. જે પગલે શહેર આખુંય સજ્જડ બંધ રહ્યું હતું.
મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મી યુવકોની કરતૂતનો વિરોધ કરાયો હતો. વિવિધ જ્ઞાતિના આગેવાનો અને શહેરીજનો એક શૂરે રેલીમાં જોડાયા હતા.મામલો અતિ સવેદનશીલ હોવાને લીધે પોલીસે પણ રેલી વખતે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. યુવતીઓને વિધર્મી યુવકો પાસેથી મુક્ત કરાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.