ડોબરા ચાંઠી પુલ બનવામાં ઘણા વર્ષોનો સમય લાગ્યો છે, આ પુલના નિર્માણ બાદ હવે 16 ટન વજનના વાહનો પણ તેના પરથી આસાનીથી પસાર થઇ શકશે. આ પુલથી આજુબાજુના વિસ્તારના લાખો લોકોને ફાયદો થવાની શક્યતાઓ છે.
ઉત્તરાખંડમાં બન્યો છે આ પુલ
દેશનો સૌથી લાંબો મોટરેબલ પુલ
16 ટન વજનનો ભાર વહન કરી શકે છે
રવિવારે દેશના સૌથી લાંબા મોટરેબલ ડોબરા ચાંઠી પુલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કર્યું હતું, આ પુલને લઈને તેમણે સંખ્યાબદ્ધ ટ્વીટ કર્યા હતા અને કહ્યું હતું કે આજે દેશના સૌથી લાંબા મોટરેબલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે વિકાસનું સૌથી મોટું દ્વાર પુરવાર થશે. ભવિષ્યમાં આ સ્થળ પ્રવાસન માટે દેશ દૂનિયામાં પ્રસિદ્ધ થશે. મને આ કાર્યનું લોકાર્પણ કરતા ખૂબ જ પ્રસન્નતા થઇ રહી છે."
आज देश के सबसे लंबे मोटरेबल डोबरा चांठी झूला पुल का उद्घाटन किया। यह विकास का बड़ा द्वार है। भविष्य में यह स्थान पर्यटन के क्षेत्र में देश-दुनिया में जाना जाएगा। मुझे इसका लोकार्पण करते हुए बेहद खुशी हो रही है। #DobraChantiBridgepic.twitter.com/IHJB6uTdIa
વધુમાં તેમને જણાવ્યું હતું કે આ પુલથી 100 થી વધુ ગામડાઓને કનેકિટવિટી મળશે, તેનાથી આપસી ભાઈચારાની સંસ્કૃતિને પણ વેગ મળશે અને સ્થાનીય લોકો માટે એક મોટું રોજગારનું કેન્દ્ર પણ બનશે"
મુખ્યમંત્રી રાવતે કહ્યું હતું કે "ગામડાના લોકોની પરેશાનીને સમજીને અમારી સરકારે આ પુલને અગ્રિમતા આપી હતી, 440 મીટર લાંબા આ પુલના નિર્માણ માટે જે 88 કરોડ રૂપિયાની જરૂર હતી તે તરત જ જાહેર કરવામાં આવ્યા હતા."
શું છે આ પુલની ખાસિયતો ?
મનાઈ રહ્યું છે કે આ પુલ માં ઘણી ખાસિયતો છે જે તેને બીજાથી ઘણી અલગ બનાવે છે, પહેલી વાત તો એ કે તેને તૈયાર થવામાં ઘણા વર્ષોનો સમય લાગ્યો છે અને હવે તેની ક્ષમતા 16 ટન ભારનું વહન કરવાની છે અને હાલમાં તેની પહોળાઈ 7 મીટર છે.
જેમાં મોટરમાર્ગની પહોળાઈ 5.5 મીટર અને ફૂટપાથની પહોળાઈ 0.75 મીટર છે. એવું મનાઈ રહ્યું છે કે આ પુલ જે રીતે બનાવાયો છે તે જોતા તેને 100 વર્ષ સુધી ટકી શકે છે. આ પુલથી આસપાસના વિસ્તારના અઢી લાખ લોકોને ફાયદો થશે, ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનશે અને લોકોને રોજગારની તકો પણ મળશે