રેશનિંગની દુકાનોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાની વાટાઘાટો
અમદાવાદમાં અનાજને ગોડાઉનથી રેશનિંગની દુકાન સુધી પહોંચાડવાનો ડોર-ટુ-સ્ટેપનો કોન્ટ્રાક્ટ યુસુફ સાલારને મળ્યો છે, તેમના હાથ નીચે માંગીલાલ તૈલી, રામાજી તેમજ અન્ય લોકો પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને ગોડાઉનના અનાજને પોતાની દુકાને પહોંચતું કરે છે. પહેલાં માંગીલાલ તૈલી દુકાને મોકલવાનું અનાજ ગોડાઉનમાં સગેવગે કરતો હતો, જેમાં પોલીસ અને પુરવઠાએ તેનો પર્દાફાશ કર્યો હતો. તમામ પેટા કોન્ટ્રાક્ટરનાં વાહનોમાં જીપીએસ લગાવેલ છે, જેના કારણે અનાજને પહેલાં દુકાને ખાલી કરવામાં આવે છે, ત્યાં કાળા બજાિરયાઓ પોતાનાં ખાનગી વાહનો લઇને આવે છે અને બાદમાં અનાજને પલટી મારીને સગેવગે કરે છે.
સીસીટીવી કેમેરાના કારણે પોલીસ અસંખ્ય ગુનાઓના ભેદ ઉકેલી રહી છે, જેથી તેને પોલીસની તીસરી આંખ ગણવામાં આવે છે. સીસીટીવી કેમેરા લગાવવાથી ઘણી બધી હકીકતો સામે આવતી હોય છે, જેના કારણે સાચા- ખોટા પરથી પરદો હટી જાય છે. પોલીસની તીસરી આંખ ગણાતા સીસીટીવી હવે પુરવઠા વિભાગની પણ તીસરી આંખ બનવા જઇ રહ્યા છે. અનાજનાં કાળાં બજારને રોકવા માટે પુરવઠા વિભાગ હવે તમામ ગોડાઉન, પુરવઠાની ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો છે, જ્યારે રેશનિંગની દુકાનોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાની વાટાઘાટો ચાલી રહી છે.
સીસીટીવી હવે પુરવઠા વિભાગની પણ તીસરી આંખ બનશે
સરકાર દ્વારા ગરીબોને અપાતા સસ્તા અને મફત અનાજને પલટી કરીને બજારમાં વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગરીબોને સમયસર અનાજ નથી મળી રહ્યું ત્યારે કાળા બજારિયાઓ અનાજને પોતાના આર્થિક ફાયદા માટે બારોબાર વેચી રહ્યા છે. તાજેતરમાં નિર્ણયનગર ગરનાળા પાસે આવેલા મિર્ચી મેદાન પાછળ મફત અનાજના જથ્થાને સગવગે કરવાનું કૌભાંડ પુરવઠા વિભાગે પકડ્યું હતું, જોકે કાળા બજારિયાઓએ બોગસ બિલ રજૂ કરતાંની સાથે પુરવઠા વિભાગે તેમને ક્લીનિચટ આપી દીધી હતી.
અનાજની કાળા બજારી અટકાવવા મહત્વનો નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર મિર્ચી મેદાનમાં પલટીવાળા અનાજના જથ્થા સાથે ઝડપાયેલા રાજકુમાર ગુપ્તાએ મૂકેશ જૈનના કહેવાથી રાણીપમાં આવેલી કમલ નામની વ્યકિતની ચાર રેશિનંગની દુકાનમાંથી અનાજને પલટી માર્યું હતું. કમલની દુકાનમાં મોડી રાતે સરકારી બારદાનમાંથી અનાજને પલટી મારીને પ્રાઇવેટ બારદાનમાં નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનો ગોડાઉનમાં સંગ્રહ થયો હતો.
સીસીટીવી કેમેરા લગાવવાની વાટાઘાટો
પુરવઠા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને બાદ કરતાં કેટલાક અધિકારીઓ અનાજનાં કાળાં બજારને રોકવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, પરંતુ કાળા બજાિરયાઓ તેમના ઇરાદા કોઇ ને કોઇ રીતે પાર પાડી રહ્યા છે. પુરવઠા વિભાગ દ્વારા હવે અમદાવાદ સહિત ગુજરાતના રપ૦ ગોડાઉન અને ૬પ૦ જેટલી ઓફિસમાં હાઇડેફિનેશનવાળા સીસીટીવી કેમેરા આગામી દિવસોમાં લગાવી દેવાશે ત્યારે બીજી તરફ અમદાવાદમાં ૮પ૭ કરતાં વધુ રેશનિંગની દુકાનો આવેલી છે, જેમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાની વાટાઘાટો ચાલી રહી છે.
હાઇડેફિશન અને નાઇટ વર્ઝનવાળા સીસીટીવી કેમેરા
રેશનિંગની તમામ દુકાનના મેઇન ગેટ પર અને ગોડાઉનમાં જ્યાં માલ સંગ્રહ કરવામાં આવે છે ત્યાં હાઇડેફિશન અને નાઇટ વર્ઝનવાળા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવે તો કાળા બજારિયાઓ પર એકાએક બ્રેક વાગી જશે. આ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ નજીકના પોલીસ સ્ટેશન તેમજ પુરવઠાની ઓફિસ અને ગાંધીનગર ખાતેની ઓફિસથી થવું જોઇએ. હાલ પુરવઠાના બિલ્ડંગ અને ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ત્યારબાદ રેશનિંગની દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાશે.