હાલમાં ટ્રક હડતાલની અસર કોલસા ઉદ્યોગ પર પડી રહી છે. દૈનિક 12 થી 14 કરોડનું ટર્ન ઓવર ધરાવતો આ ઉદ્યોગ હાલ મોરબીમાં ઠપ્પ થઈ ગયો છે. સરકારને દૈનિક બે કરોડ જેટલી આવક હાલ ગુમાવવી પડી રહી છે.
હજી પણ ટ્રક હડતાલ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં કોલ યુનિટ ધરાવતા માલિકોને મોટું નુકશાની સહન કરવાનો વારો આવી શકે છે. સિરામિકનગરી મોરબી માં સિરામિક ઉદ્યોગમાં બળતણ તરીકે લગભગ 20 હજાર ટન કોલ વપરાય છે.
આ ઉપરાંત લગભગ 125 જેટલા કોલ યુનિટો મોરબી માં આવેલા છે. જો ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલુ રહશે તો આગામી સમયમાં આ ઉદ્યોગ પર નભતા કારખાનેદારો વેપારીઓ અને મજુરો માટે વધુ ને વધુ મુશ્કેલીઓ સર્જાય એમ છે.