ભારતના આરોગય મંત્રી ડો. હર્ષવર્ધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશનું રસીકરણ અભિયાન કોરોનાની કબરમાં આખરી ખિલ્લો પુરવાર થશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધનનો આક્રોશ
રસીકરણ અભિયાનને લઈને આપ્યું નિવેદન
રસીને લઈને લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે : ડો. હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરુવારે એક નિવેદન આપતા કહ્યું હતું કે આ એક મોટી વિડંબના છે કે દુનિયાભરના દેશો જ્યાં ભારત પાસેથી વેક્સિન માંગી રહ્યા છે ત્યારે આપણા દેશમાં અમુક એવા લોકો છે જે આપણી રસી વિષે અફવા ફેલાવવાનું કામ કરી રહ્યા છે, આ પ્રકારની ખોટી અફવા ફેલાવવાનું બંધ થવું જોઈએ.
લોકો અફવાઓના લીધે રસી લેવાથી ગભરાઈ રહ્યા છે : કેબિનેટ મંત્રી
ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે રસીકરણ કોરોનાની કબરમાં આખરી ખીલ્લો જડવાનું કામ કરશે, આ દુઃખની વાત છે એકે અમુક લોકો માત્ર રાજકીય ફાયદા માટે અફવાઓ ફેલાવી રહયા છે, જેના લીધે અમુક લોકો રસી લેવાથી ગભરાઈ રહયા છે, સરકાર નથી ઇચ્છતી કે કોઈ પણ વ્યક્તિ રસીના ડોઝ વગર રહી જાય, બધાને વૅક્સિન મેળવી જ જોઈએ.
વધુ એક વાર તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે અને દરેક પ્રકારના રસીકરણ પછી સાઈડ ઇફેક્ટ જોવા મળે છે જે આપણા રસીકરણ અભિયાનમાં પણ દેખાઈ રહ્યા છે.
પીએમ મોદી વારાણસીમાં લાભાર્થીઓ સાથે કરશે વાતચીત
મહત્વનું છે કે રસીકરણ અભિયાનની વચ્ચે પીએમ મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કોરોના રસી લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે, અને વિડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા વાતચીત કરશે, અને લોકોના રસીકરણના અનુભવોને સાંભળશે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાલમાં ભારતમાં શરુ છે અને દેશભરમાં ફ્રન્ટલાઈન વર્કસને રસી અપાઈ રહી છે, કાલે બપોરે 1.15 વાગ્યે પીએમ મોદી સંવાદ સાધશે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે આ પહેલા પણ કોરોના વેક્સિન પાર સવાલો ઉઠાવ્યા હતા અને તેને ભાજપની વેક્સિન ગણાવી હતી, આ વખતે તેમણે ફરી એક વાર રસીને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે વેક્સિન પહેલા ગરીબોને મેળવી જોઈએ, અમે તો અમારી સરકાર બન્યા પછી જ રસી લગાવડાવીશું .