આપણો દેશ ચમત્કારથી ભરેલો છે. મંદિરોની લાંબી લિસ્ટ છે જ્યાં અલગ અલગ પ્રકારના ચમત્કાર થયા છે. એક મંદિર એવું છે જ્યાં મૂર્તિ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે.
માતા લક્ષ્મીનું અનોખુ મંદિર
મૂર્તિ બદલે છે ત્રણ વખત રંગ
જબલપૂરમાં આવેલુ છે આ મંદિર
જે મંદિરની વાત કરી રહ્યાં છીએ ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે અને આ મંદિર જબલપૂરમાં સ્થિત છે. આ મંદિરને પચમઠા નામથી ઓળખવામાં આવે છે. મંદિરનું નિર્માણ 1100 વર્ષ પહેલા થયુ હતુ. ગોંડવાના શાસનની દુર્ગાવતીના ખાસ સેવાદાર રહેલા દિવાન અધાર સિંહના નામથી બનેલા અધારતાલ તળાવમાં કરવામાં આવ્યુ છે. આ મંદિરમાં માતા લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત છે.
તંત્ર સાધના માટે પ્રસિદ્ધ
પચમઠા મંદિર તંત્ર સાધના માટે પણ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે મંદિર પરિસરના ચારે તરફ શ્રીયંત્રની સ્થાપના કરેલી છે. તમને જાણીને હેરાની થશે કે આ મંદિરમાં રહેલી માતા લક્ષ્મીની મૂર્તિ દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે. સવારે પ્રતિમાનો રંગ સફેદ હોય છે, બપોરે પીળો અને સાંજે વાદળી થઇ જાય છે.
માતાના ચરણો પર પહેલી કિરણ
મંદિરમાં પ્રતિમાનો રંગ હેરાન નથી કરતો કારણ કે સૌથી પહેલા સૂર્યની પહેલી કિરણ દેવી લક્ષ્મીના ચરણોમાં પડે છે અને દર્શન કરતા શ્રદ્ધાળુંઓને એવું જ લાગે છે કે સૂર્યદેવ માતા લક્ષ્મીને પ્રણામ કરે છે. માન્યતા છે કે આ મંદિરમાં કરેલી પ્રાર્થના સફળ થાય છે.
શુક્રવારની માન્યતા
શુક્રવારના દિવસે લક્ષ્મીજીના મંદિરમાં એવી માન્યતા છે કે શ્રદ્ધાળું નિયમિતરૂપથી 7 શુક્રવાર દર્શન માટે આવે તો તેની કામના જરૂર પૂરી થાય છે.