કરવા ચોથના વ્રતનું જેટલું સામાન્ય લોકોમાં મહત્વ છે. એટલું જ મહત્વ બોલીવુડ અને ટિવીના નાના પરદા પર રમતા અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચે છે. ઘણા અભિનેતાઓની પત્નીઓ આ વ્રત રાખે છે.
અભિષેક બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે પત્નીઓ સાથે-સાથે આ વ્રત પતિઓએ પણ રાખવું જોઇએ. આ ઉપરાંત અભિષેક બચ્ચને લખ્યું કે મહિલાઓ માટે કરવા ચોથ સૌભાગ્યશાળી હોય છે અને જવાબદાર પતિઓએ પણ પત્નીઓ સાથે આ વ્રત રાખવું જોઇએ. હુ આ વ્રત રાખુ છું.
મહત્વનું છે કે એશ્વર્યા પણ આ વ્રત રાખે છે અને તેની જોડે-જોડે અભિષેક પણ આ વ્રત રાખે છે. તમને જણાવી દઇએ કે અભિષેક અને એશ્વર્યાના લગ્નને 11 વર્ષ થઇ ચૂક્યા છે. આ મહિનામાં જ અભિષેકે એશ્વર્યાના ખૂબ વખાણ કર્યા હતા.