વલસાડના સરીગામમાં મદુરા કંપની નજીક નાના બ્રિજ પર પાણી ફરી વળ્યા, બ્રીજ પર ભયજનક પાણીનો પ્રવાહ હોવા છતાં લોકોએ કરી હતી જોખમી અવરજવર, ફસાયેલા14 લોકોને ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ
રાજ્યના 57 તાલુકામાં વરસ્યો વરસાદ
સૌથી વધુ ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ
વાપીમાં 9 ઈંચ, જલાલપોરમાં સવા 6 ઈંચ
ગુજરાતના 57 તાલુકામાં મેઘમહેર વચ્ચે સૌથી વધુ ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યાં વલસાડના સરીગામમાં મદુરા કંપની નજીક નાના બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. આમ છતાં કેટલાક સ્થાનિક લોકોએ જોખમી રીતે અવર-જવર શરૂ કરી હતી. જેને લઈ 14 લોકો ફસાયા હતા. અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. બે બાઈક સહિત એક કાર પણ વહેણમાં તણાઈ હતી. ફાયર વિભાગે બે બાઈકને પણ બહાર કાઢી હતી. જો કે, એક બાઈક ચાલક હજુ પણ લાપતા છે.