દુનિયાના 199 દેશો કોરોનાની ઝપેટમાં છે. વિશ્વમાં 5 લાખથી પણ વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. યુરોપમાં 2.5 લાખથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે. જેમાં અડધાથી વધારે લોકો ઈટલી, સ્પેનમાં છે. અમેરિકામાં વિશ્વના સૌથી વધારે દર્દીઓ છે. અમેરિકામાં 24 કલાકમાં 17 હજાર કરતા પણ વધારે કોરોના ગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. હાલ અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંક 85, 435 કુલ પહોંચ્યો છે. જ્યારે 1295 લોકોના મોત નિપજ્યા છે. તો 82, 272 એક્ટિવ કેસ છે. ત્યારે આ બાબત ગંભીરતા ન દાખવનાર અમેરિકાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ત્યારે ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે. જાણો, વિશ્વમાં કોરોના કહેર કેવો છે.
દ. અમેરિકામાં દેશમાં કોરોના વાયરસના 107 કેસ સામે આવ્યા છે
દુનિયામાં 537,017 લોકો કોરોના ગ્રસ્ત છે
યૂએસ ચેમ્બર્સ ઓફ કોમર્સમા કોવિડ-19 પર જી -20ના નિવેદનના વખાણ કર્યા
દુનિયામાં 537,017 લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે24,117લોકોના મોત નિપજ્યા છે. જેમાં 124,436 લોકો સાજા થયા છે. અમેરિકામાં અત્યારે વિશ્વના સૌથી વધારે દર્દીઓ છે.
વેનેજુએલામાં કોરોના વાયરસથી પહેલું મોત નિપજ્યું છે
વેનેજુએલામાં કોરોના વાયરસથી પહેલું મોત નિપજ્યું છે. ગુરુવારે 47 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તેને ફેંફસાની બિમારી હતી. ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજે ટેલીવિઝન પર કરેલા સંબોધનમાં કહ્યું હતુંકે ઉત્તરી અરાગુઆ રાજ્યમાં જે વ્યક્તિનું મોત નિપજ્યુછે તેને ફેંફસાની બિમારી હતી. રોડ્રિગેજે જણાવ્યુ કે નિમોનિયાની ફરિયાદ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 3 દિવસ પછી તે કોરોના ગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું.
દ. અમેરિકામાં દેશમાં કોરોના વાયરસના 107 કેસ સામે આવ્યા છે. દેશને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યો છે. વૈશ્વિક મહામારીને લઈને વેનેજુએલા ઘણી ચિંતામાં છે. કેમ કે તેની અર્થવ્યવસ્થા જર્જરી હાલતમાં છે.
કોરોના વાયરસ પર જી 20દેશોની સાથે મળીને કામ કરી રહ્યા છીએ - ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ -19 બાબતે જી 20ના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક પછી ગુરુવારે કહ્યું કે અમેરિકાએ આ વાયરસના પ્રસારને રોકવા માટે દુનિયાભરના પોતાના મિત્રો અને સાથીદારો સાથે મળીને કામ કરશે.
તેમણે કહ્યું કે અમારી પાસે કેટલાય સારા અને અલગ આઈડિયા છે. અમે એક સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દુનિયાભરના નેતા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક સાથે આવ્યા છે.
તમામ દેશોમાં તાત્કાકલ સૂચના અને આંકડા શેર કરવા કેટલા મહત્વના છે.
તેમણે કહ્યું કે અમે ઘણા હદ સુધી આવું કરી પણ રહ્યા છીએ, પરંતુ હવે આપણે એકબીજાને જાણ કરીશું કે આપણે કેવી રીતે આની સાથે લડી રહ્યા છીએ.
યૂએસ ચેમ્બર્સ ઓફ કોમર્સમા કોવિડ-19 પર જી -20ના નિવેદનના વખાણ કર્યા
યૂએસ ચેમ્બર્સ ઓફ કોમર્સમા કોવિડ-19 પર જી -20ના નિવેદનના વખાણ કર્યા છે. જેનાથી આપણે મહામારી સાથે લડવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને બચાવવા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિવાદને ઉકેલવામાં મદદ કરવાની કટિબદ્ધતા બતાવી છે.
અમેરિકામાં સામે આવેલા કોરના વાયરસના કેસમાંથી 55 ટકા કેસ ન્યૂયોર્કના
અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાઈરસની મોટી અસર જોવા મળી રહી છે. અમેરિકાના કુલ કેસમાં 55 ટકા કેસ ફક્ત ન્યૂયોર્કમાં નોંધાયા છે. અહીં તાવ અને શરદીના લક્ષણો ધરાવતા 86 ટકા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવ્યો છે. અમેરિકામાં કોરોનાના કુલ 85612 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1301 છે.
ઈઝરાઈલે એર ઈન્ડિયાનો આભાર માન્યો છે
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની વચ્ચે એર ઈન્ડિયાએ પોતાના વિશેષ વિમાનથી 314 ઈઝરાઈલી નાગરિકોને ગુરુવારે સાંજે સુરક્ષિત રીતે પોતાના દેશ પહોંચાડી દીધા છે. જ્યારે પ્રવાસીઓ વિમાનમાંથી ઉતર્યા ત્યારે તેમના હાથમાં ભારત અને ઈઝરાઈલના ઝંડા હતા.
ઈઝરાઈલી દુતાવાસે વિદેશ મંત્રાલયે આ બાબતે વિશેષ અપીલ કરી હતી જેને પહગે એર ઈન્ડિયાના વિશેષ વિમાનનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને પગલે દિલ્હીમા ઈઝરાઈલના રાજદૂત રોન મલ્કાએ આ નિસ્વાર્થ સેવા માટે એર ઈન્ડિયાનો આભાર માન્યો હતો.
સ્પેનનમાં મૃતકોની સંખ્યા 4 હજારથી વધારે
ઈટલીમાં 8215 લોકોના મોત થયા છેય આ બાદ સ્પેનનમાં 4365 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે. અહીંની સરકારને કોરોનાથી બચવાના કોઈ ઉપાય નથી દેખાઈ રહ્યા. સરકારે હોટેલોને હોસ્પિટલોમાં અને મૈડ્રિડના આઈસ રિંકને અસ્થાયી કબ્રસ્તાનમાં ફેરવવા પડ્યા છે. મૈડ્રિડની એક હોસ્પિટલમાં કામ કરનાર નર્સ લિદિયા પરેરાના જણાવ્યાનુંસાર અમે ખતમ થઈ રહ્યા છીએ. અમને હજું વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓની જરુર છે.
યકેમાં પહેલીવાર એક દિવસમાં 100 લોકોના મોંત
યુકેમાં પહેલીવાર એક જ દિવસમાં 100 લોકોના મોત નિપજ્યા છે. અહીં મૃતકોની સંખ્યા વધીને 578 થઈ છે. જ્યારે અહીં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 11, 658 છે.
ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણના 6153 નવા કેસ સામે આવ્યા છે
ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણના 6153 નવા કેસ સામે આવ્યા છે. જેને લીધી ઈટલીમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 80589 થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં 537,017 લોકો કોરોના ગ્રસ્ત છે. જોન હોપિકન્સ વિશ્વવિદ્યાલયે આ જાણકારી આપી હતી. ઈટલીમાં વાયરસને કારણે 8215 લોકોના મોત નિપજ્યા છે. ઈટલીની નાગરિક સુરક્ષા એજન્સીએ ગુરુવારે કોરના વાયરસને કારણે 662 લોકોના મોતના સમાચાર આપ્યા હતા.
દલાઈ લામાએ રૂ. 15 લાખની સહાય કરી
તિબ્બતના ધાર્મિક નેતા દલાઈ લામાએ કોરોના વાઈરસ સામેની લડત માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 15 લાખની સહાય આપી છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી આ રાજ્ય તેમના ઘર સમાન છે. તેમણે જરૂરીયાતવાળા લોકોને ખોરાક અને દવા માટે આ પૈસા વાપરવાની ભલામણ કરી હતી.