રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી છે કે દેશમાં 300 રેલ્વે સ્ટેશનનોને હાઈ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે 150 રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે.
દેશમાં 300 રેલ્વે સ્ટેશનનો હઈ સ્પીડ કોરિડોર સાથે જોડાશે
150 રલ્વે સ્ટેશનનોનું નવિનીકરણ કરવામાં આવશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યુ મોટું નિવેદન
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જોધપુરમાં કહ્યું કે દેશના કુલ 150 રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે. જ્યારે 300 સ્ટેશનોને હાઈ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે આ વાત જોધપુર રેલ્વે સ્ટેશનના એક ભવન પર કરી હતી. શિલાન્યાસ સમારોહ વખતે તેમણે આ વાત કહી હતી.
PM મોદીએ મોટી જવાબદારી આપી: રેલ્વેમંત્રી
રેલ્વે મંત્રી આ પ્રસંગે બોલ્યા કે PM મોદીએ મને મોટી જવાબદારી આપી છે. સાથેજ તેમણે કહ્યું કે મારા પિતા પણ દરેક મુસાફરના મોઢા પર સ્મીત જોવા માગે છે. જેથી તેઓ બોલ્યા કે બંનેની આશાઓ પર ઉભો રહેવા માગુ છું. જેના માટે હું બને એટલા પૂરતા પ્રયાસો કરીશ
150 રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરાશે
આપને જણાવી દઈએ કે રેલ્વેમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ જોધપુરમાં અશ્વિનિ વૈષ્ણવ પહેલી વખત ગયા હતા. જ્યા તેઓ બોલ્યા કે દેશના કુલ 150 રેલ્વે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે. જેમા રાજસ્થાનના આઠ સ્ટેશનોને પહેલા ચરણમાં વિકસીત કરવામાં આવશે. જેથી મુસાફરોને રાહત મળી રહેશે.
રેલ્વે લાઈનમાં વિદ્યુતીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે
રાજસ્થાનમાં જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર, જેસલમેર, બીકાનેર, અને આબૂરોડ રેલ્વે સ્ટેશનને ફરીથી વિકસીત કર કરવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે 300 સ્ટેશનોને હાઈ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રેલ્વે લાઈનોમાં વિદ્યુતીકરણનું કામ ઘણી ઝડપથી ચાલી રહ્યું છે. જેને દોઢ વર્ષમાં પુર્ણ કરી દેવામાં આવશે.