જામનગર સ્ટેટ હાઇવે જમીન સંપાદનમાં વળતર ન ચૂકવવા બાબતે કોર્ટના આદેશ મુજબ અધિકારીઓએ HCમાં હાજર રહ્યા હતા
જામનગર સ્ટેટ હાઇવે જમીન સંપાદનમાં વળતર ન ચૂકવવાનો મામલો
15 ટકા અધિકારીઓના ખિસ્સામાં જાય છે: HC
15 ટકા વ્યાજના 65 લાખ વળતર સાથે ચુકવવા પડશે: HC
હાઈકોર્ટ જમીન સંપાદનમાં વળતર મુદ્દે વધુ કડક વલણ અપનાવ્યું છે. ઘણા વર્ષોથી કેટલાય ખેડૂતો વિવિધ રીતે થયેલા જમીન સંપાદનના વળતરથી વંચિત છે અથવા તો વળતર પર ટીડીએસ કાપી લેવા તે માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે જામનગરના સ્ટેટ હાઈવે માટે જમીન સંપાદન કરતાં 4.92 કરોડનું જમીન સંપાદનું વળતર લટકતા હાઈકોર્ટએ લાલ આંખ કરી છે. કોર્ટના આદેશ મુજબ અધિકારીઓએ HCમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા. જ્યાં તેમને વળતર ન ટાઈમસર ન ચુકવ્યા હોવાની વાત સ્વીકારી હતી.
એક સપ્તાહમાં વળતર ચૂકવી આપવાની બાંહેધરી
જામનગર સ્ટેટ હાઇવે જમીન સંપાદનમાં વળતર ન ચૂકવવા મુદેની સુનાવણી દરમિયાન કોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો હતો.જેમાં R&B વિભાગના સેક્રેટરી SB વસાવા કોર્ટમાં રહ્યાં ઉપસ્થિત રહ્યા હતા અને કોર્ટે તેમને પૂછ્યું હતું કે કેમ વળતરમાં વિલંબ થયો છે. તેના જવાબ આપતા અધિકારીઓએ હાઇકોર્ટમાં માફી માગી હતી અને રજૂઆત કરી હતી કે કોરોનાના કારણે વળતર ચૂકવવામાં મોડું થયું છે પણ પોતે હવે બાંહેધરી આપી રહ્યા છે કે તે તાત્કાલિકના ધોરણે સપ્તાહમાં તમામને વળતર ચૂકવી દેશે.
15 ટકા અધિકારીઓના ખિસ્સામાં જાય છે: HC
સુનાવણી વખતે હાઈકોર્ટએ ટાંક્યું હતું કે કુલ 4.92 કરોડનું વળતર ચૂકવવાનું હતુ જેની સામે 15 ટકા અધિકારીઓના ખિસ્સામાં જાય છે ? જે આધારે હવે 15 ટકા વ્યાજના 65 લાખ વળતર સાથે ચુકવવા પડશે અને સરકારને પણ વેધક સવાલ કરી પૂછ્યું કે નુકસાન થયુ તેની સામે સરકાર શું પગલા લેશે ? આ મુદ્દે 1 અઠવાડિયામાં સરકારને તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને 10 દિવસમાં રિપોર્ટ પણ રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે કેમ અધિકારીઓ વળતરમાં આપવામાં ધાંધિયાગીરી કરી રહ્યા છે. જો કોર્ટમાં આવી એમ કહી શકતા હોય કે અઠવાડિયામાં અમે વળતર આપી દઈશું તો અત્યાર સુધી કેમ લાભાર્થીઓને વંચિત રાખવામાં આવ્યા એ પણ મોટો સવાલ છે.
આ પહેલા બોટાદ જમીન સંપાદન વળતરમાં મોટો ચુકાદો આપ્યો હતો
જમીન સંપાદનની વળતર રકમમાં TDSનો મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટ સુનાવણી દરમિયાન કહ્યું કે જમીન સંપાદનના વળતર મામલે કોઈપણ બાંધછોડ નહીં ચાલવી લેવાય,કોર્ટના હુકમનો અનાદર કરનાર અધિકારી દોષિત ઠેરવી કંટેમ્પટ ઓફ કોર્ટ બદલ કોર્ટે 50 હજારનો દંડ કર્યો છે તેમજ પ્રથમ કિસ્સો હોવાથી જેલની સજા ન કર્યાનું કોર્ટે અવલોકન પણ કર્યું હતું. ગુજરાતના પ્રથમ કિસ્સામાં સરકારી અધિકારી દોષિત થયો હતો. પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર એમ.આર.પંડ્યાને દંડ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ જ 40 હજાર ખેડૂતોને ખર્ચે પેટે રકમ ચૂકવવા અને 10 હજાર લીગલ એડમાં જમા કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.