રાજ્યમાં બહુમાળી ઇમારતો ફાયર સેફ્ટી વગર હોવાની રજૂઆત સમક્ષ હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, ફાયર સેફ્ટી અંગે કામગીરી શું કરી છે
ફાયર સેફ્ટીને લઇ હાઇકોર્ટના સવાલ
હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા
''ફાયર સેફ્ટી અંગે કામગીરી શું કરી''
રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. રાજ્યમાં બહુમાળી ઇમારતો ફાયર સેફ્ટી વગર હોવાની રજૂઆત કરવામાં આવી. જેમાં અરજદારના વકીલે કહ્યું કે સ્કુલ, હોસ્પિટલ, બિલ્ડીંગમાં હજુ પણ ફાયર સેફ્ટી નથી. ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ છે. ફાયર સેફ્ટીને લઇ હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો. જેમાં તેઓ કહ્યું કે ફાયર સેફ્ટી અંગે કામગીરી શું કરી?.
સરકારે જવાબ આપતા કહ્યું કે, ફાયર સેફ્ટી અંગે અમે ગંભીરતાથી પગલાં લઇ રહ્યા છીએ. ફાયર સેફ્ટી મળી રહે તેની માટે કામગીરી કરી રહ્યાં છીએ. ફાયર સેફ્ટીનો અભાવ છે તે એકમો સામે કાર્યવાહી ચાલું છે. અને ફાયર વિભાગને પણ કામગીરીમાં તકલીફ પડી રહી છે. ત્યારે હાઇકોર્ટે કહ્યું કે ગત મુદતે પણ કામગીરી કરીશું કહ્યું પણ કામગીરી શું કરી?. 6 મહિનાથી ફાયર સેફ્ટી અંગે શું કાર્યવાહી કરી?. હાઇકોર્ટે કહ્યું કે તમામ નગરપાલિકા, કોર્પોરેશનને માર્ગદર્શન આપો.
અગાઉ ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કર્યું હતું સોગંદનામું
સરકારી કચેરીઓની 40 ટકા ઇમારતોમાં ફાયર NOC નહીં હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામું કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં જ ફાયરસેફ્ટી નથી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ NOC ન હોવાનુ સામે આવ્યું છે. 22 સરકારી ઇમારતોમાં જ માન્ય ફાયર NOC પ્રમાણપત્ર છે. જેમાં વિધાનસભા બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલનો સમાવેશ થાય છે.