રાજ્યમાં ઉનાળો વર્તાવશે કહેર, કામ વિના બહાર નીકળવાનું ટાળજો, અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટ
ઉનાળો રહેશે આકરો
અમદાવાદમાં 3 દિવસ યલો અલર્ટ
સરેરાશ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું
એપ્રિલ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. દિવસ જાય તેમ તાપમાન વધી રહ્યુ છે. લોકોએ પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઉનાળો આકરો રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં હિટવેવની આગાહી
એપ્રિલ મહિનામાં જ સરેરાશ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને જુનાગઢ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર સુધી પહોંચી ગયું છે ત્યારે આગામી બે દિવસ પણ હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે યલો અલર્ટ પણ જાહેર કર્યું છે.ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે.ગરમીમાં વગર કામે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને સલાહ પણ આપી છે.
આ જિલ્લામાં અનુભવાશે હીટવેવ
આગામી 2 દિવસમાં ગુજરાતમાં હિટવેવની અસર રહેશે.હવામાન વિભાગના મતે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હિટવેવની અસર રહેશે.સૌરાષ્ટ્રના કચ્છ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના સ્થળોએ હિટવેવની અસર રહેશે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ હિટવેવ રહેશે.બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, વડોદરામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટ
આકરા તાપમાં કામ વિના ઘરની બહાર જવાનો ટાળજો કારણ કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉનાળો આકરો રહેવાની આગાહી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો આસમાને પહોંચે તેવી શક્યતા છે. જો કે હાલમાં પણ અમદાવાદમાં ગરમી 42 ડિગ્રી તો નોંધાઇ જ રહી છે તો આગામી સમયમાં ગરમીમાં હજુ વધારો થઇ શકે છે.
ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
આથી સ્થાનિકો ગરમીમાં રાહત મેળવવા માટે ઠંડા પીણા જેવા કે શેરડીનો રસ, લીંબુ શરબત તેમજ લસ્સી અને આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે.તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ લોકોને ગરમીમાં બહાર ન નિકળવા અને સાવધાની વર્તવા માટે અપીલ કરી છે.