કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર ટ્વવીટ કરીને જણાવ્યું કે અત્યાર સુધીમાં ભારતમાં 99 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં 100 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.
વેક્સિનેશનને લઈને સ્વાસ્થ્યમંત્રીએ ટ્વીટર પર કર્યું ટ્વીટ
ભારતમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશનવ અભિયાન ચાલી રહ્યું છે. જેમા અત્યાર સુધીમાં 99 કરોજ કરતા પમ વધું લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા માહિતી આપવામાં આવી છે. જેમા તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને લોકોને માહિતી આપી છે.
ટૂંક સમયમાં 100 કરોડ લોકોનું વેક્સિનેશન થશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં હવે 100 કરોડ લોકોનું વેક્સિન કરવામાં આવશે. આ વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આ્યું હતું. જેમા શરૂઆતમાં સ્વાસ્થ્યકર્ીઓને વેક્સિન આપવામાં આવી બાદમાં ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિન આફવામાં આવી હતી.
છેલ્લા 24 કલાકમાં 164 લોકોના મોત
હાલ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા થે. આછ મહિના બાદ કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 13,058 કેસ નોંધાયા છે. સાથેજ 19,470 લોકો કોરાનાતી સાજા થયા છે. જેથી હાલ દેશમાં કુલ 6576 એક્ટિવ કેસ ઓછા થયા છે. જોકે કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 164 લોકોનો જીવ પણ ગયો છે.
અત્યાર સુધીમાં 4,52,000ના મોત
કોરોના માહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ લોકો સંક્રમિત થયા છે. જે પૈકી 4 લાખ 52 હજાર લોકોના મોત થયા છે. જોકે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં કુલ 3 કરોજ 34 લાખ લોકો સારા પણ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ કરતા ઓછી થઈ ગઈ છે. હાલ કુલ 1,83,118 લોકો સંક્રમિત છે. જેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.