સોનગઢ લાખાબાપુની જગ્યા ખાતે કોળી અને ભરવાડ સમાજના આગેવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં વર્ષો જૂના ઝઘડાનું સમાધાન.
થાન તાલુકામાં વર્ષો જુના કોળી અને ભરવાડ સમાજના
ઝઘડાઓ અને મનદુઃખનું આખરે સમાધાન થયું
થાન તાલુકાના સોનગઢ લાખાબાપુની જગ્યા ખાતે સમાધાન
સુરેન્દ્રનગર થાનમાં કોળી અને ભરવાડ સમાજના વર્ષો જૂના ઝધડાઓ અને મનદુઃખનું આખરે સમાધાન થઈ ગયું છે. જે તમામ સમાજ માટે એક ઉદાહરણ છે. થાન તાલુકાના સોનગઢ લાખાબાપુની જગ્યા ખાતે બંને સમાજના આગેવાનો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં વર્ષો જૂના ઝઘડાનું સમાધાન થયું છે. કોળી અને ભરવાડ સમાજના લોકોએ હળી-મળીને રહેશે અને ભવિષ્યમાં ઝઘડો નહીં કરવાનો સંકલ્પ કર્યો છે.
વર્ષ 2014થી ભરવાડ અને કોળી સમાજના જૂથો વચ્ચે અનેક વખત થયેલ જૂથ અથડામણમાં જાનમાલને નુકસાન, ઈજાઓ તેમજ બંને પક્ષના લોકોના મોત પણ નિપજયા હતા. છેલ્લા 7 વર્ષથી ચાલતા મનદુઃખ અને ઝઘડાનો અંત આવી સુખદ સમાધાન થતાં વહીવટી અને પોલીસ તંત્ર સહિત થાન તાલુકાના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
સમાધાન સાથે નવા નિયમ અનુસાર સૌ કોઈને ચાલવું પડશે
વર્ષો જૂના મતભેદને દૂર કર્યા બાદ જો કોઈ ઉશ્કેરણીજનક મેસેજ કે, વીડિયો વાયરલ કરશે. તો તેને દંડના 5 લાખ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય આજની સભામાં કરાયો છે. આ બંને સમાજ વચ્ચે વર્ષો પહેલા એક ધર્ષણમાં ભરવાડ સમાજના કેટલાક લોકોને હિજરત કરવી પડી હતી. અને મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જે બાદ હાઈકોર્ટે પોલીસ વડા ઠાકુરને હિજરત થયેલ ભરવાડ સમાજના લોકોનું પુનઃવસન કરાવવા જણાવ્યું હતું.