સમયના અભાવને કારણે ઘણાં લોકો સવારે નાસ્તો કરવાનું ટાળતા હોય છે. તમારી આ આદતથી તમને બીપી અથવા થાયરોઇડ જેવી બિમારીઓ થઈ શકે છે.
સવારનો નાસ્તો શરીરમાં એનર્જિ બુસ્ટરનું કામ કરે
સવારે નાસ્તો ના કરવાથી થતી બીમારીઓ
સવારે નાસ્તો કરવાનો સાચો સમય
Diseases caused by skipping breakfast: આજના આ ભાગદોડવાળા જીવનમાં લોકો નાસ્તો કરવાનું છોડી દે છે. આ આદતથી તમને એક દિવસ માટે નહી પણ આજીવન માટે નુકસાન થઈ શકે છે. કારણકે નાસ્તો આપણા શરીરમાં એનર્જિ બુસ્ટરનું કામ કરે છે. નાસ્તો ખાલી આપણા શરીરને જ નહી પરંતુ મગજને પણ કામ કરવાની શક્તિ આપે છે. સવારે નાસ્તો ના કરવાની આદત તમને બિમાર કરી શકે છે. ચાલો જાણીએ નાસ્તો ના કરવાથી થતી બિમારીઓ વિશે.
1. ડાયાબિટીસ- Diabetes:
નાસ્તો ના કરવાથી ઇન્સ્યુલિન પ્રોડક્શનને નુકસાન પંહોચે છે. કારણકે આખી રાત દરમિયાન જયારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું શરીર શુગરનો ઉપયોગ કરે છે. જેથી આપણા શરીરમાં શુગર લેવલ ઓછું થઈ જાય છે. સમયસર નાસ્તો કરવાથી તેને બેલેન્સ થવામાં મદદ મળે છે અને ઇન્સ્યુલિન પ્રોડક્શનને વ્યવસ્થીત રાખે છે. લાંબા સમય સુધી નાસ્તો ના કરવાથી અથવા એક સાથે વધુ નાસ્તો કરવાથી તમારા શરીરનું ખરાબ શુગર મેટાબોલિસ્મ અને ડાયાબિટીસ વધી શકે છે.
2. તણાવને કારણે હોર્મોનમાં બદલાવ - Stress:
નાસ્તો કરવાથી કોટિૅસોલ હોર્મોન નથી વધતું પણ જ્યારે તમે નાસ્તો નથી કરતાં ત્યારે કોટિૅસોલ હોર્મોનનું લેવલ વધી જાય છે. એટલા માટે સવારે 7 વાગ્યામાં થોડું ખાવું જરૂરી છે જેથી તમારા હાર્મોન્સનું સ્તર નીચે રહે. કારણકે જ્યારે આનું સ્તર વધી જાય છે ત્યારે તમને ચિંતા અથવા ચીડયાપણું વધી જાય છે.
3. હાઇ બીપીની બીમારી - High BP:
નાસ્તો ના કરવાથી હાઇ બીપીની તકલીફ થઈ શકે છે. સવારે નાસ્તોના કરવાથી તમારું વજન અને એથરોસ્ક્લેરોસિસ તથા હાઇ બીપીની તકલીફ વધી શકે છે. તમારી આ દિનચર્યાથી તમે હ્રદયરોગના શિકાર બની શકો છો.
4. થાઈરૉઈડની બીમારી - Thyroid Imbalance:
નાસ્તોના કરવાથી તમને થાઇરોઇડની બીમારી થઈ શકે છે. સમયસર નાસ્તોના કરવાથી તમારા હાર્મોન્સના પ્રોડક્શનમાં તકલીફ થઈ શકે છે. જે થાઇરોઇડની બીમારીને વધારે છે. આના લીધે શરીરનું વજન વધી શકે છે. આ આદતને વહેલી તકે છોડવી જોઈએ.
નાસ્તો કરવાનો સાચો સામય
નાસ્તો કરવાનો સાચો સમય સવારે 7/8 વાગ્યાનો છે. કોઈ પણ સ્થિતિમાં તમારે સવારે 10 વાગ્યા પહેલા નાસ્તો કરી લેવો જોઈએ. નહિતર બેઠા-બેઠા જ આ બધી બીમારીઓનો શિકાર બની જશો.