સામાન્ય રીતે અત્યારના સમયમાં લોકો ખાવા-પીવાના શોખીન હોય છે. લોકો યોગ્ય સમય જોયા વગર ખા ખા કર્યા કરે છે.
આખો દિવસ ખાવાની કુટેવ સુધારો
ચા પીવાથી થાય છે શરીરને નુકસાન
પાચનતંત્રને પચાવવા માટે સમય આપો
જોકે, જરૂર કરતા વધુ ખાવાની સમસ્યા અનેક રોગોનું મૂળ બની શકે છે. ઘણા લોકો ઓવર ઇટિંગ કરે છે. આખો દિવસ ખા-ખા કરવાની કુટેવના કારણે વજન જરૂર કરતાં વધી જાય છે. વજન વધવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે ઓવર ઇટિંગની આદતથી છૂટકારો મેળવવો જોઈએ. અહીં ઓવર ઇટિંગથી કઇ રીતે બચી શકાય તેના ઉપાયો આપવામાં આવ્યા છે.
ચા પીવાનું ઓછું કરો
ચા અને કોફીમાં કેફિન હોય છે જે શરીરને નુકસાન કરે છે. ઘણા લોકોને વધુ ચા કોફી પીવાની આદત હોય છે. માટે ચા, કોફી અને ઠંડાં પીણાં લિમિટમાં પીવાં જોઈએ.
ભારે નાસ્તો કરો
સવારે પેટ ભરીને નાસ્તો કરવો જોઈએ. જ્યારે ભારે નાસ્તો કરશો, ત્યારે લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. જેથી તમે વારંવાર ખાવાની આદતથી દૂર રહેશો. આખા દિવસ દરમિયાન થોડા થોડા સમયે પાણી પણ પીવું જોઈએ.
શું-શું ખાધું તેનો હિસાબ રાખો
જેમ ખર્ચનો હિસાબ રાખવા ડાયરી બનાવાય છે, તેમ આખા દિવસ દરમિયાન શું-શું ખાધું તેનો હિસાબ રાખવા માટે ફૂડ ડાયરી બનાવવી જોઈએ. આ ડાયરી જોઇને તમને આત્મજ્ઞાન થશે કે કેટલું વધારે ખવાઈ ગયું. પરિણામે તમે ઓછું ખાવાનો પ્રયાસ કરશો.
સ્નેક્સ ખાવામાં ધ્યાન રાખો
જો અનેક પ્રયત્નો બાદ પણ તમે તમારી ભૂખ ઉપર કંટ્રોલ ના કરી શકો, તો આરોગ્યને નુકસાન કરનાર સ્નેક્સથી તો દૂર રહી જ શકાય. આવા સ્નેક્સ તમારું વજન વધારવાની સાથે ગંભીર બીમારીઓને આમંત્રણ પણ આપે છે. માટે સ્નેક્સના સ્થાને આરોગ્યવર્ધક વસ્તુઓને નાસ્તામાં સ્થાન આપો. ચણા, મખાના, સ્વીટ કોર્ન, વેજિટેબલ સૂપ, છાસ, દહીં, પૌવા, ફળ, જ્યૂસ, મમરા જેવી વસ્તુઓનો નાસ્તામાં સમાવેશ કરી શકો છો.
મેંદાથી બનેલા ખોરાકથી દૂર રહો
ખાંડ, મીઠું અને મેંદો શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. મેંદો પેટ ખરાબ કરે છે. ખાંડ-મીઠાના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખો. ઉપરાંત મેંદાથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
ભરપૂર પ્રમાણમાં પાણી પીવો
આખો દિવસ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જમવા બેસવાના અડધો કલાક પહેલાં પાણી પીવું જોઈએ. ફળ અને શાકભાજીનો રસ પણ પી શકાય. જેનાથી પેટ ભરેલું રહેશે અને ભૂખ ઓછી લાગશે.