જરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના લાભ માટે ખાતેદાર ખેડૂત આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતતા સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના વર્ષ 1996માં 26 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતના અકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતતા પર તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના 100 % રાજ્ય સરકારના સહાયની યોજના છે. જે હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે. ખેડૂત ખાતેદારને વીમાનો લાભ આપી તેના પરીવારને આર્થિક રક્ષણ પુરું પાડવાની યોજના હાલમાં ગુજરાત સામુહિક જૂથ હેઠળ તા. 1-4-2008થી વિમા નિયામક મારફત અમલમાં છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ વારસદાર પુત્ર કે પુત્રીનો સમાવેશ કરવામાં આવે છે.
યોજનામાં શું મળે છે લાભ?
અકસ્માતનાં કારણે મૃત્યુ કે કાયમી અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 1,00,000 રૂપિયા આપવામાં આવે છે.
અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ- પગ ગુમાવવાના કિસ્સામાં 1,00,000 રૂપિયા આપવામાં આવે છે.
અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 1,00,000 રૂપિયા આપવામાં આવે છે.
અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં પ૦,૦૦૦ રૂપિયા
આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.
યોજનાનો લાભ મેળવવા માટેની શરતો
મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિએ પોતાના નામે સંયુક્ત કે વ્યક્તિગત નામે જમીન ધારણ કરેલી હોવી જોઇએ.
મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે ઉપસ્થિત થયેલ હોવી જોઇએ.
કુદરતી મૃત્યુ અને આપધાતના કિસ્સાનો સમાવેશ યોજના નીચે કરવામાં આવેલ નથી.
વારસદારના કિસ્સામાં મૃતક ખાતેદાર ખેડૂતનો પ્રથમ હયાત વારસદાર પુત્ર/પુત્રી હોવા જોઇએ
યોજનાનો લાભ
આ યોજનામાં જો ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો તેનો લાભ મૃતક ખાતેદાર ખેડૂતના વારસદારને અને જો ખાતેદાર ખેડૂત અપંગ થાય તો તેનો લાભ ખાતેદાર ખેડૂત ને નીચેની વિગતે લાભ મળે.
આ યોજનાનો લાભ કેવી રીતે મળે
ખાતેદાર ખેડૂતનું મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારએ અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી 90 દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે 90 દિવસબાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં