તૌકતે વાવાઝોડામાં બોટ અને સાધનસામગ્રીને મોટું નુકસાન થયું હતું. ઘણા સમયથી માછીમારો નુકસાન સહાયની રહી જોઈ રહ્યા હતા.
દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનથી નુકશાન મુદ્દે સહાય
ભારે પવનથી દરિયાકાંઠા વિસ્તરમાં ભારે નુકસાન થયું
પૂર્ણ નુકસાન પામેલ નાની બોટને 75 હજાર સુધીની સહાય
ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરી ચોમાસાના દિવસોમાં વાવાઝોડા દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફુંકાતા તેમજ ટ માછીમારોને થયેલા નુકસાન માટે સહાય જાહેર કરી છે. 4 નાની બોટ અને 46 મોટી બોટને નુકસાન થયું હતુ. જેમાં સરકારે મોટી રાહતની જાહેરાત કરી નુકસાન થયેલી બોટ માટે નુકસાની સહાય તેમજ નવી વસાવવા માટે 5 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
સરકારે શું કરી જાહેરાત જાણો ટુંકમાં..
4 નાની બોટ, 46 મોટી બોટને નુકસાન થયું છે
તૌતે વાવાઝોડામાં જે પેકેજ જાહેર કર્યું તે પ્રમાણે સહાય આપશે
બોટ અને સાધનસામગ્રી નુકસાન બાબતે નુકસાનના 50 ટકા સહાય
અથવા માછીમારોને 35 હજાર સુધીની સહાય મળશે
પૂર્ણ નુકસાન પામેલ નાની બોટને 75 હજાર સુધીની સહાય
સૈયદ રાજપરામાં 2, વેરાવળમાં એક બોટને નુકશાન
રાજ્યમાં કુલ 51 બોટને નુકશાન થયું
7 માછીમારોના મૃત્યુ થયા છે, હજુ એક માછીમાર ગુમ
મુખ્યમંત્રી રાહત પેકેજમાં સહાય માટે આવક મર્યાદા વધી
આવક મર્યાદા એક લાખથી વધારીને 4 લાખ કરાઈ
તૌકતે વાવાઝોડામાં બોટ અને સાધનસામગ્રમાં થયેલા નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું. દરિયાકાંઠામાં ભારે પવનથી નુકસાન થયું છે. ગુજરાતમાં કુલ 29716 બોટ છે. 4 નાની બોટ અને 46 મોટી બોટને નુકસાન થયું છે. માછીમારોને 35 હજાર સુધીની સહાય મળશે, બોટ પૂર્ણ નુકસાન પામેલ નાની બોટને 75 હજાર સુધીની સહાય મળશે. તો 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. નવા બંદરે 37 બોટને નુકસાન થયું છે.મુખ્યમંત્રી રાહત પેકેજમાં સહાય માટે આવક મર્યાદા વધારી દેવામાં આવી છે પહેલા 3 લાખ સુધીની આવક ધરાવતા માછીમાર સહાયને પાત્ર હતા હવે સરકારે તેમાં વધારો કરી આવક મર્યાદા એક લાખથી વધારીને 4 લાખ કરવામાં આવી છે.