ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલી જગ્યા પર PMના જન્મ દિવસે કાર્યક્રમમાં અપાઈ શકે છે નિમણૂક પત્રો
ભરતી પ્રક્રિયા પુર્ણ થયેલ જગ્યાઓ પર સરકાર આપશે નિમણૂકપત્રો
સરકારના એક વર્ષ તથા PMના જન્મદિવસ ઉજવણી સમયે કાર્યક્રમ યોજાઇ શકે છે
પંચાયત સેવા પસંદગી મંડળની 10થી વધુ કેડરની ભરતીના પરીણામો જાહેર કરાયા
આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે. તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે.
PMના જન્મદિવસે અપાઈ શકે છે નિમણૂક પત્રો
બીજી તરફ ગુજરાત સરકારે પણ PM મોદીના જન્મદિવસને લઈ ખાસ તૈયારીઑ કરી છે. ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલી જગ્યા પર સરકાર એક સામટે મોટો કાર્યક્રમ ગોઠવી નિમણૂક પત્રો આપશે.PMના જન્મદિવસે જ નિમણૂક પત્રો અપાઈ તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે. પંચાયત હસ્તકની વિવિધ કેડરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તેના તમામ કેડરને નિમણૂંક આપવાની તૈયારીઓમાં જે તે વિભાગ જોતરાયું છે. પોલીસ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલા ઉમેદવારોને પણ ઉજવણીના ભાગ રૂપે નિમણૂંક પત્રો એનાયત કરાશે. GPSCના બાકી તમામ ઈન્ટવ્યું પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
વેવ બોર્ડ પર વડનગરથી દિલ્લી જશે બે બાળકો
તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના જન્મદિન પર તેમના વતન વડનગરના બે બાળકો કંઈક અલગ કરવા જઈ રહ્યા છે. વડનગરના બે બાળકો દિલ્લી જવા રવાના થયા છે. પરંતુ ટ્રેન, બસ કે પછી કારમાં નહીં. આ બાળકો વેવ બોર્ડ પર દિલ્લી જશે. 12 વર્ષનો રૂદ્રાક્ષ અને 9 વર્ષનો રિધાન વડનગરથી લઈ દિલ્લી સુધીનું 950 કિલોમીટરનું અંતર વેવ બોર્ડ પર પાર કરશે. વડનગરમાં આવેલા પ્રધાન મંત્રી મોદીના જુના ઘરથી એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રના સંદેશા સાથે આ બાળકો દિલ્લી લાલ કિલ્લા સુધી જવા રવાના થયા છે.