ગાંધીનગર ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ, સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસ રાજનીતિ કરી રહી હોવાનો આરોપ લાગાવ્યો છે.
વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થશે
કામકાજ સલાહકાર સમિતિની બેઠક
સત્રના કામકાજના આયોજન માટે ચર્ચા
રાજ્યના વિકાસ માટે સરકારલાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે.શહેર અને ગામડાની જનતાને સુવિધાઓ અને ભૌતિક સુખાકારી મળી રહે તે માટે આયોજનો થાય છે.દર વર્ષે જનતાને બજેટના ભાગરૂપે વિવિધ યોજનાઓની જાહેરાત પણ કરાય છે. ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેની કામગીરીના આયોજન હેતુસર કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી છે.
કોંગ્રેસ રાજનીતિ કરવાનો જ પ્રયાસ કરી રહી છે: જીતુ વાઘાણી
કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં બે વિધયકો મુકાયા હોવાની માહિતી ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી છે.બેઠકમાં કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ જેઠવા પણ હાજર રહ્યા હતા. ત્યારે જીતુ વાઘાણીએ બજેટ કામગીરી બાબતે મળેલી આ બેઠકમાં કોંગ્રેસનું વલણ રાજકીય રહ્યુ હોવાના આરોપ સાથે કહ્યું હતું કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને સ્થાને કોંગ્રેસ રાજનીતિ કરી રહ્યું છે.'જેમના મનમાં ખોટ હોય તે નકારાત્મક જ વિચારે નિયમ અનુસાર 26 બેઠકો નક્કી કરવામાં આવી છે અને વિધાનસભાની કામગીરી માટે પુરતા દિવસો આપવામાં આવ્યા છે પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા બેઠકમાં પણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ કામથી ભાગી રહી છે'.
બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું?
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં રાખવામાં આવેલી આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ તેમજ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન સત્રના કામકાજના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
3 માર્ચે ગુજરાતનું બજેટ રજૂ થશે
બજેટ 3 માર્ચે રજૂ થશે. જેમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભામાં અંદાજ પત્ર પર ચાર દિવસ ચર્ચા ચાલશે. તો પૂરક માગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. જ્યારે સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભા સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે
ગાંધીનગર વિધાનસભા કાર્યવાહી અંગે કોંગ્રેસની પત્રકાર પરિષદ
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન માીડિયાને પ્રવેશ આપવો જોઇએ--શૈલેષ પરમાર
વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવામાં આવે
સરકારે એક પણ માંગણી સ્વીકારી નથી -શૈલેષ પરમાર
બેરોજગારી , પેપરકાંડ, કાયદો વ્યવસ્થા અંગે મુદ્દે ચર્ચા કરીશુ
ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 2 માર્ચથી શરૂ થશે અને 31 મી માર્ચ સુધી ચાલશે.14મી વિધાનસભાનું 10મુ સત્ર કુલ 26 બેઠકમાં મળશે.આ સત્રમાં બજેટ દરમિયાન 9 રજામાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહી.તો આ વિધાનસભા સત્રમાં કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.સામાજિક અંતર સાથે સભ્યોની બેઠક વ્યવસ્થા કરાશે.આ સત્રમાં ગૃહમાં પ્રવેશ માટે કોરોનાના ટેસ્ટ ફરજિયાત નહી હોય પરંતુ રસીના 2 ડોઝના સર્ટિફિકેટ ચકાસીને જ ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે.