સરકાર ઇલેક્ટ્રિક વાહનોને જલ્દી રસ્તા પર ઊતારવા રાહ જોઇ રહી છે. સરકારના રોડમેપ પ્રમાણે 2023 થી રસ્તા પરથી પેટ્રોલ અને ડીઝલ વાહનોને હટાવવાનું શરૂ થઇ જશે. સરકારની થિંકટેંક નીતિ પંચે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 2030 બાદ માત્ર ઇલેક્ટ્રિક કારોને વેચવાનો પ્રસ્તાવ આપ્યો છે. તો સરકારે આ નિર્ણયથી ગેસ કંપનીઓના ધબકારા વધી ગયા છે.
1.2 લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો ડર
ગેસ વિતરણ બિઝનેસથી જોડાયેલી કંપનીઓ આ વ્યવસાયમાં રોકાણ પોતાના 1.2 લાખ કરોડ રૂપિયાને ગુમાવવાનો ડર હેરાન કરી રહ્યો છે. નીતિ આયોગના પ્રસ્તાવમાં એપ્રિલ 2023થી થ્રી વ્હીલર વાહનો અને એપ્રિલ 2025 થી 150 સીસી સુધી ટુવ્હીલર વાહનો અને એપ્રિલ 2026થી ટેક્સીઓને રસ્તાથી બહાર કરવાની યોજના છે.
તો બીજી બાજુ ઇલેક્ટ્રિક વાહન નીતિથિ ઑટો કંપનીઓની ઊંઘ ઊડી છે, તાજેતરમાં જ થયેલા સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશનની બોલીમાં લાઇસેન્સ પ્રાપ્ત કરી ચુકેલી કંપનીઓને પોતાના રૂપિયા ગુમાવી દેવાનો ડર સતાવી રહ્યો છે. કંપનીઓને ડર છે કે ઇલેક્ટ્રિક વાહનોના કારણે સીએનજીના વેંચાણ પર અસર પડશે.
ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાથી એક મૂંઝવણ પેદા થઇ ગઇ છે, જેનાથી આ સેક્ટરમાં રોકાણ પણ ઘટશે અને સાથે સાથે લાયસન્સ પ્રાપ્ત કરનારી કંપનીઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે નહીં, એના કારણે બેંક પણ સિટી હેસ પ્રોજેક્ટ્સને ફાઇનેન્સ નહીં કરે.
તાજેતરમાં એક રેગુલેટરને 136 લાયસેન્સ મળ્યા છે, જેમાં 20 રાજ્યોમાં 7200 સીએનજી સ્ટેશન્સ બનાવવાના છે અને 3.5 કરોડ કરોડ ઘરોમાં ગેસ પાઇપલાઇન પહોંચાડવાની છે. જેના માટે 1.2 લાખ કરોડનું રોકાણ હશે.
આ બિઝનેસથી જોડાયેલા લોકોનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનો આવવાથી સીએનજીના વેંચાણ પર અસર પડશે, જેનાથી ગેસ સપ્લાય કરનારી કંપનીઓનું રેવન્યૂ ઘટશે.