દેશમાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરાયેલું અનલોક 4 અમલી છે, અને આ અનલોકમાં હાલમાં સિનેમા થિએટરો ખોલવાણ મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી, જેને લઈને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી.
દેશમાં સિનેમા હોલ ફરી શરૂ કરવા અંગે સરકારની સ્પષ્ટતા
દેશમાં સિનેમા હોલ ચાલુ કરવા હજૂ કોઇ નિર્ણય નહીં: કેન્દ્ર
સોશિયલ મીડિયામાં 1 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની ફેલાઇ હતી અફવા
અનલોકના ચાર તબક્કા લાગૂ કરાયા બાદ દેશમાં ધીમે ધીમે બધુ ખૂલી રહ્યું છે, અત્યાર સુધીમાં વિવિધ ગાઈડલાઇન્સ સાથે જિમ, હોટેલ અને રેસ્ટોરન્ટ્સ વગેરે ખૂલી ચૂક્યા છે, સરકારે ઓપન એર થિએટરોને પણ ખૂલવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે લોકો -સિનેમા થિએટરો ખૂલવાની રાહ જોઈ રહ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયામાં વારંવાર અફવા ફેલાઈ રહી હતી, જેઉ આજરોજ કેન્દ્ર દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.
Claim:A Media report has claimed that Home Ministry has ordered reopening of cinema halls across the country from 1st October with the imposition of strict regulations. #PIBFactCheck: This claim is #Fake. No decision has been taken by @HMOIndia on reopening the cinema halls yet pic.twitter.com/hc903cfXnm
સોશિયલ મીડિયામા ફેલાઈ હતી અફવા, 1 ઓક્ટોબરે ખૂલી શકે છે સિનેમા થિએટરો
વિવિધ સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મસ પર સરકારની આગામી નિર્ણયને લઈને અફવા ફેલાઈ હતી, જેમાં 1 ઓક્ટોબરના રોજથી દેશમાં સરકાર સિનેમા થિએટરો ખોલવા જઈ રહી છે, તેવો એક મેસેજ વાયરલ થયો હતો. જેને લઈને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય ન લેવાયો હોવાની માહિતી આપવામાં આવી હતી.
સરકારના વાયરલ મેસેજના ફેક્ટ ચએક માટે કરી કરતા વિભાગ PIB FACTCHECK દ્વારા પણ આ વાયરલ મેસેજ ફેક છે તેની પુષ્ટિ કરાઇ હતી.