કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે ૩૩મો દિવસ છે. ખેડૂતો સાથેની વાતચીત ફરી શરૂ કરવાનો નિર્ણય લેતાં શનિવારે સરકારને ચિઠ્ઠી લખી હતી. ખેડૂતોએ મંગળવારે ૧૧ વાગ્યે િમટિંગ કરવાનો સમય આપ્યો હતો. તેમણે ચાર શરતો પણ રાખી છે, તેના પર સરકાર આજે જવાબ આપી શકે છે.
ખેડૂત આંદોલનનો આજે ૩૩મો દિવસ
ખેડૂતોએ સરકાર સમક્ષ રાખી 4 શરત
આજે સરકાર આપશે જવાબ
આ ચાર શરતોમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની શક્યતા પર વાતચીત થાય. મિનિમમ સપોર્ટ પ્રાઇસની કાયદાકીય ગેરંટી વાતચીતના એજન્ડામાં રહે. કિમશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓર્ડિનન્સ હેઠળ સજાની જોગવાઇ ખેડૂતો પર લાગુ ન થાય. ઓર્ડિનન્સમાં સંશોધન કરીને નોટિફાઇ કરવામાં આવે અને ઇલેિક્ટ્રસિટી અેમેન્ડમેન્ટ બિલમાં પરિવર્તનનો મુદ્દો વાતચીતના એજન્ડામાં સામેલ થવો જોઇએ.
ખેડૂતોએ આંદોલનની રણનીતિમાં કર્યો ફેરફાર
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી કૂચના એક મહિના બાદ હવે ખેડૂતોએ આંદોલનની રણનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે, જેના આધારે હવે તેઓ અન્ય રાજ્યમાં પણ આંદોલન કરશે. ખેડૂત નેતા પટણા, મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાનની સાથે અન્ય રાજ્યના ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે. કેન્દ્રના નેતા ખેડૂત આંદોલનને લઈ વારેઘડી નિવેદન આપી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આ આંદાેલન ફક્ત પંજાબ સુધી સીમિત છે. અહીં સત્તાસ્થાને રહેલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ આંદોલનને ઉગ્ર બનાવી રહ્યાં છે. કેન્દ્ર તરફથી આવતા નિવેદનને ખેડૂત સંગઠનોએ ગંભીરતાથી લેતાં તેમણે રણનીતિમાં ફેરફાર શરૂ કર્યો છે. તેઓ દિલ્હી બોર્ડરથી હવે અન્ય રાજ્યમાં પણ આંદોલનને વધારી રહ્યા છે, સાથે અહીં આંદોલનમાં ભાગ લેનારાનું સમર્થન પણ મેળવી રહ્યા છે.
વારંવાર મદદનું અપાઇ રહ્યું છે આશ્વાસન
હાલમાં પંજાબની કીર્તિ કિસાન કાર્યક્રમના નેતા મુંબઈમાં આયોજિત ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા. ભારતીય ખેડૂત યૂનિયનના ખેડૂત નેતા ૨૯ ડિસેમ્બરે બિહારની રાજધાની પટણામાં આયોજિત થનારા ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થશે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ રણનીતિનાં સકારાત્મક પરિણામ આવી રહ્યાં છે. અન્ય રાજ્યનાં ખેડૂત સંગઠન તેમના સંપર્કમાં છે અને આંદોલનમાં તમામ શક્ય મદદનું આશ્વાસન આપી રહ્યાં છે.
ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટી તરફથી અપાયેલી જાણકારી અનુસાર ડિસેમ્બર અંત સુધી આ રણનીતિ પર કામ કરાશે. રણનીતિના આધારે નક્કી કરાયું છે કે ખેડૂત કાયદાના વિરોધમાં આ ખેડૂતો દેશનાં ૧૫થી વધારે રાજ્યનાં ૫૦૦ શહેરો સુધી પહોંચી શકે છે. આ સ્થાન પર ખેડૂત સંગઠનો કાર્ય કરવામાં લાગ્યાં છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગઇકાલે સાંજે સિંધુ બોર્ડર પહોંચીને ખેડૂતોની મુલાકાત કરી હતી. તે એક મહિનામાં બીજી વખત સિંધુ બોર્ડર પહોંચ્યા. તેમની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હતા. ખેડૂતોને મળીને કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને ખેડૂતો સાથે ઓપન ડિબેટ કરવાનો પડકાર આપું છું. આનાથી સ્પષ્ટ થઈ જશે કે આ કાયદો કેવી નુકસાન પહોંચાડશે.