IPS અધિકારીઓ હવે માનિતા કર્મીઓને નહી લઈ જઈ શકે સાથે
બદલી બાદ PI કક્ષાના અધિકારીઓને સાથે લઈ જતા હોવાનું અવલોકન
ગૃહ વિભાગે આવા IPS અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ
ગુજરાત પોલીસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે ગુજરાત પોલીસમાં વ્હાલા દવલાની નીતિ નહિ ચાલે. જેનું કારણ એ છે કે, એક અવલોકન પ્રમાણે IPS અધિકારીઓની બદલી થઈ ગયા બાદ તેઓ પોતાના માનીતા અધિકારીઓને પણ પોતાની સાથે એટલે કે જે-તે જિલ્લા કે શહેરમાં લઈ જતાં હતા. જોકે હવે ગૃહ વિભાગને આ વાત ધ્યાને આવતા હવે માનીતા કર્મીઓને સાથે રાખતા IPSનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અનેક વાર વહીવટી કે અન્ય કારણોસર IPS અધિકારીઓની બદલી થતી હોય છે. જેમાં જે-તે શહેર કે જિલ્લામાં IPSની બદલી થયા બાદ તે અધિકારી પોતાના માનીતા અધિકારીઓને પણ સાથે લઈ જતાં હોવાનું ધ્યાને આવ્યું છે. એટલે કે માનો કે, કોઈ IPS ની બદલી કોઈ પણ શહેર કે જિલ્લામાં થાય તો તેઓ પોતાના માનીતા PI કક્ષાના અધિકારીઓને પણ પોતાની સાથે બદલી કરાવી લઈ જતાં હોવનું એક અવલોકનમાં સામે આવ્યું હતું.
ગૃહ વિભાગ આ મામલે એક્શનમાં
ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ હવે આ મામલે જાણે એક્શન મોડમાં આવ્યું છે. જેના ભાગરૂપે હાલમાં ગૃહ વિભાગે આવા IPS અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ છે. જેને લઈ હએ ક્યા અધિકારી કોને સાથે લઈ જાય છે તેની માહિતી એકઠી રહી છે. જે બાદમાં હવે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને માનીતા અધિકારીઓ અલગ થઈ શકે છે.
વ્હાલા દવલાની નિતિ નહીં ચાલે ?
ગુજરાત પોલીસમાં IPS અધિકારી પોતાનો બદલી બાદ માનીતા અધિકારીઓ વ્હાલા દવલાની નિતિને કારણે પોતાની સાથે લઈ જતાં હોવાનું અવલોકન થયું હતું. જેને લઈ રાજ્યના ગૃહવિભાગે હવે આ મામલે મોટી કવાયત શરૂ કરી છે. જેથી હવે આગામી દિવસોમાં ગુજરાત પોલીસ વિભાગમાં આ વ્હાલા દવલાની નિતિ નહીં ચાલે.