જમીનના સરવે અને રિ-સરવેને લઇને ગુજરાતનો ખેડૂત પરેશાન છે તેવામાં સરકારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે જે રિ-સરવેમા ક્ષતિ છે તેનો નવેસરથી સરવે કરાશે, જાણો સરકાર જમીન માપણીની ક્ષતિ દૂર કરી શકશે!
સરકાર જમીન માપણીની ક્ષતિ દૂર કરી શકશે!
જમીન માપણીમાં અમુક નિયમોનું પાલન જરૂરી હતું
સમગ્ર ગુજરાતમાં ખોટી માપણીને કારણે થયો હતો વિરોધ
જમીનના સરવે અને રિ-સરવેને લઇને ગુજરાતનો ખેડૂત પરેશાન છે તેવામાં સરકારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે જે રિ-સરવેમા ક્ષતિ છે તેનો નવેસરથી સરવે કરાશે. ખાસ કરીને જામનગર અને દ્વારકા દેવભૂમિ જિલ્લામાં નવેસરથી રિ-સરવેની કામગીરીને સરકાર પાયલોટ પ્રોજેકટ તરીકે હાથ ધરશે. રિ-સરવેમાં ખેડૂતો તેમની જમીનની માપણીને લઇને હકને લઇને અને માલિકીના દાવાને લઇને ખુબ પરેશાન થયેલા છે. ઘણી બધી વિસંગતતાઓને કારણે અનેક વખત રજૂઆતો કરીને સરકારનું ધ્યાન દોર્યુ હતું. કમિટી બની,આશ્વાસન અપાયા પણ ખેડૂતોની સમસ્યાનો નિકાલ ન આવી.
સરકાર જમીન માપણીની ક્ષતિ દૂર કરી શકશે?
રિ-સરવેને લઇને મુદ્દતો પડી,પણ પરેશાનીનો અંત ન આવ્યો. હવે જયારે રિ-સરવેને લઇને લાખો ફરિયાદો થઇ છે ત્યારે તંત્રને સમજ પડી છે કે ક્યાંક ભૂલ તો થઇ છે. એ ભૂલ સુધારવા રિ-સરવેને લઇને પણ નવેસરથી સરવે થશે. જો હવે સરવે કરનારી એજન્સી કે પ્રાઇવેટ કંપની નિયમોનું પાલન કરીને કામ કરશે તો ખેડૂતોને કદાચ હેરાન થવાનો વારો નહીં આવે. ટેકનોલોજીમાં ભારતે ઘણી છલાંગ લગાવી છે પણ ખેડૂતોની જમીનની માપણીની વાત આવી ત્યાં સૌના ભાગે પરેશાની જ આવી છે. જોવાનું એ રહેશે કે સરકાર ભૂલો સુધારવા જે પાયલોટ હાથ ધરવા જઇ રહી છે તેમાં કેટલી સફળ થાય છે. સરવેની નવી પદ્ધતિથી સરકાર જમીન માપણીની ક્ષતિ દૂર કરી શકશે? જેને લઈ વિશ્લેષણ કરી જાણીએ..
રિ-સરવેમાં ગોટાળાના કારણો શું ?
રિ-સરવેની કામગીરી પ્રાઈવેટ કંપનીઓને અપાઈ હતી અને પ્રાઈવેટ કંપનીઓએ જવાબદારી વગર કામગીરી કરી હતી. પ્રાઈવેટ કંપનીઓએ અનેક નિયમોનો ભંગ કર્યો હતો. ગ્રામસભા બોલાવ્યા વગર માપણી કરી હતી તેમજ કબજેદારોના પ્રત્યક્ષ કબહા મુજબ માપણી નહોતી કરાઈ તેમજ માપણી દરમિયાન લાગુ સરવે ધારકોને પણ હાજર નહોતા રખાયા અને ગુગલ મેપ આધારે માપણી કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર માપણી કરી હતી. તમને જણાવી દઈએ કે, ખેડૂતોની ગેરહાજરીમાં માપણીઓ કરીને કંપનીઓના માણસો ભાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય વાત છે કે, રિ-સરવેની નોટિસો પણ ખેડૂતો સુધી પહોંચાડી નહતી. અને અધિકારીઓ-નેતાઓને લાંચ આપી બીલ પાસ કરાવી લીધા હતા
અને કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદો ઉઠી છતા કાર્યવાહી નહોતી કરાઈ.
કંપનીઓને બચાવવા અનેક થયા પ્રયાસ !
સમગ્ર ગુજરાતમાં ખોટી માપણીને કારણે વિરોધ થયો હતો
અનેક ખેડૂત સંગઠનોએ જમીન માપણીનો વિરોધ કર્યો હતો
ખેડૂતોના 7/12 બદલાઈ ગયા હોવાથી આક્રોશ ફેલાયો હતો
વિધાનસભામાં પણ વિપક્ષે અનેક વખત હંગામો કર્યો હતો
જમીન માપણી રદ કરવા માગ ઉઠી હતી
જમીન માપણીની સમસ્યા પર સરકારે કમિટી પણ બનાવી હતી
કમિટી દ્વારા કંપનીઓ વિરદ્ધ કોઈ કાર્યવાહી ન કરાઈ
અનેક ભૂલની ફરિયાદો હોવા છતા કંપનીઓને પેમેન્ટ કરી દેવામાં આવ્યુ હતું
2014માં માપણી પુરી થઈ ગઈ હોવા છતા આજ દિન સુધી સમાધાન નથી આવ્યું !
રેવન્યૂ વિભાગે અનેક વખત પ્રમોલગેશની તારીખો લંબાવી
રેવન્યૂ વિભાગની માપણી કરનાર કંપનીઓ સાથે સાંઠગાંઠના આરોપ
2015થી 2023 આવી ગયુ છતા સમાધાન આવ્યું નથી
જમીન માપણીમાં ક્યા નિયમોનું પાલન જરૂરી હતું?
કંપનીઓએ જે તે સ્થળ પર જઈ માપણી કરવાની હતી અને કંપનીઓએ માપણી પહેલા ગ્રામસભા બોલાવવાની હતી. સરવે પહેલા ગામના સરપંચને પણ જાણ કરવાની હતી તેમજ કબજેદારોને હાજર રાખી માપણી કરવાની હતી. પ્રત્યક્ષ કબજા આધારે માપણી કરવાની હતી તેમજ લાગુ સરવે નંબરવાળાને પણ સ્થળે હાજર રાખવાના હતા અને જે સાધનોથી માપણી થવાની છે તેની પણ જાણકારી આપવાની હતી. સાધનોની સૂચકતા ચોક્કસાઈ કેટલી છે તેની જાણકારી આપવાની હતી તેમને જણાવી દઈએ કે અમને ખેડૂતોને મશીનોની ચોક્કસાઈ/ગતિ વિશે જાણકારી આપવાની હતી અને માપણી કર્યા બાદ ખેડૂતોને નોટિસ આપવાની હતી જો કોઈ ભૂલ અંગે ખેડૂત જાણ કરે તો સુધારો કરી આપવાનો હતો, સુધારા કર્યા બાદ જ નવો રેકર્ડ તૈયાર કરવાનો હતો