મોદી સરકારે રોડસાઇડ સ્ટ્રીટ ફૂડ વેન્ડરની મદદ કરવા માટે એક મોટુ પગલુ લીધુ છે.
મોદી સરકાર અને સ્વીગી ઝોમેટોનો કરાર
ઘરે બેઠા માણી શકશો સ્ટ્રીટ ફૂડનો લાભ
300 ફૂડ વેન્ડરને મળશે ફાયદો
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી એટલે કે પીઓમ સ્વાનીધિ સ્કીમ હેઠળ શહેરી વિકાસ મંત્રાલયને ઓનલાઇન ફૂડ ઓર્ડર અને હોમ ડિલીવરી કરનારી કંપની ઝોમેટો સાથે કરાર કર્યો છે. ફૂડ એગ્રીગેટર ઝોમાટોએ ગુરુવારે યોજનામાં સાથે કામ કરવા કરાર કર્યો છે. મહત્વનું છે કે સરકાર પહેલા જ સ્વીગી સાથે કરાર કરી ચૂકી છે.
સ્ટ્રીટ ફૂડની થશે હોમ ડિલીવરી
કેન્દ્ર સરકાર અને સ્વીગી ઝોમેટો વચ્ચે થયેલ કરાર બાદ સ્ટ્રીડ વેન્ડર્સ ખાવા પીવાના સામાનનો ઓનલાઇન ઓર્ડર લીધા બાદ હોમ ડિલીવરી કરી શકશે. એકતરફ મંદીનો માર સહન કરી રહેલા આ સેક્ટરને જીવનદાન મળશે અને સ્ટ્રીટફૂડના શોખીન ઘરે જ લિજ્જત માણી શકશે.
300 ફૂડ વેન્ડરને મળશે ફાયદો
કોરોના સંકટના કારણે લાખો સ્ટ્રીટ વેન્ડર્સનું કામ મંદુ પડી ગયુ છે અને ઝોમેટોએ કહ્યું કે તે 6 શહેરોમાં 300 ફૂડ વેન્ડર્સને ટ્રેનિંગ આપીને આ યોજનાની શરૂઆત કરશે. આ યોજના શરૂ થવાથી કેટલાય લોકોને રોજગાર મળશે.
આ શહેરોમાં થશે ફૂડ ડિલીવરી
ભોપાલ, નાગપુર, પટના, વડોદરા અને લુધિયાણા આ શહેરોમાં શરૂ થશે ફૂડ ડિલીવરી. પહેલુ ચરણ સફળ થશે તો અન્ય 125 શહેરોમાં સ્ટ્રીટ ફૂડ ડિલીવરી શરૂ કરવાનો પ્લાન છે.
સ્વચ્છતાનું રાખવામાં આવશે ધ્યાન
આ સમજોતા હેઠળ ઝોમેટોએ સ્ટ્રીટ વેન્ડર્સને ફૂડ સેફ્ટી અને હાઇજીન વિશે શીખવાડવાનું નક્કી કર્યુ છે. તેમના પાન કાર્ડ, ફૂડ મેનુ અને ફૂડ પ્રાઇઝને ફિક્સ કરવામાં પણ મદદ કરશે.