છેલ્લા અમુક સમયમાં ભારતના વિવિધ ભાગોમાં વધી રહેલા કોરોના કેસોને લઈને અમુક મીડિયા માધ્યમોમાં સરકાર 1 ડિસેમ્બરથી ફરીથી નેશનલ લોકડાઉન લગાવવાનો નિર્ણય લઈ શકે છે તે પ્રકારનો ખબર વાયરલ થઈ હતી, જો કે ભારત સરકારે આ ખબરને નકારી કાઢી છે.
ભારતના અમુક ભાગોમાં વધી રહ્યા છે કોરોના કેસ
કોરોના કેસોને લઈને લોકડાઉન લગાવવાની વધી હતી ચર્ચા
જો કે ભારત સરકારે આ અફવાને નકારી કાઢી છે
ભારત સરકારની આધિકારિક પ્રેસ એજન્સી Pres Information Bureau એ જો કે આ મામલે માહિતી આપતા કહ્યું હતું કે આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે અને સરકાર આ પ્રકારની લોકડાઉન લગાવવાની કોઈ જ યોજના ધરાવતી નથી.
A tweet allegedly posted by a prominent media outlet claims that due to the growing number of #COVID19 cases in the country, the Govt. is going to re-impose a nationwide lockdown from 1st December#PIBFactCheck: This tweet is #Morphed. No such decision has been taken by the Govt pic.twitter.com/8Urg7ErmEH
મહત્વનું છે કે હાલમાં દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે છેલ્લા અમુક સમયથી દેશના અમુક ભાગોમાં ફરીથી કોરોના કેસોની સંખ્યામાં વધારો તહાતો જોવાયો છે, ખાસ કરીને ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે, આ મામલે સરકાર દ્વારા પણ ચેતવણી અપાઈ હતી અને AIIMS દિલ્હીના ડીરેક્ટર ડો. ગુલેરિયાએ પણ કોરોના કાળમાં તહેવારોમાં પ્રજાને સાવચેતી રાખવાની અપીલ કરી હતી.
આજ વસ્તુને ધ્યાને લઈને વડાપ્રધાન દ્વારા અમુક દિવસો પહેલા દેશને નામ રાષ્ટ્રવ્યાપી સંબોધન કરાયું હતું, અને કોરોનાને હળવાશની ન લેવાની અપીલ કરી હતી, તહેવારોના સમયમાં પણ દેશની જનતા ને સંયમ સાથે તહેવારો મનાવીને કોરોનાથી બચવા માટેની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે વડાપ્રધાન પોતે પણ અલગ અલગ મંચ ઉપરથી આ પ્રકારની અપીલ કરી ચૂક્યા છે.